ભૂસ્ખલનને કારણે Himachal Pradeshની ખરાબ થતી પરિસ્થિતિ, PM Modiએ કરી ઉચ્ચસ્તીર બેઠક, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-19 17:28:15

કુદરતી આફતોને કારણે હિમાચલ પ્રદેશની હાલત પ્રતિદિન ખરાબ થઈ રહી છે. વરસાદે હિમાચલ પ્રદેશમાં તબાહી મચાવી છે. અનેક લોકોના મોત આ કુદરતી આફતોને કારણે થયા છે, કરોડોની સંપત્તિને નુકસાન પહોંચ્યું છે. વરસાદે અનેક લોકોના ઘરને તબાહ કરી દીધા છે. અનેક લોકોનું રેસ્ક્યુ કરાયું છે ત્યારે કુદરતી આફતને લઈ પીએમ મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. બચાવ કાર્યો કરવામાં આવી રહ્યા છે અને સેનાને ત્યાં તૈનાત કરવામાં આવી છે.   



હિમાચલ પ્રદેશની પરિસ્થિતિને લઈ પીએમ મોદીએ બોલાવી બેઠક 

હિમાચલ પ્રદેશમાં વરસાદે કહેર મચાવ્યો છે. ભારે વરસાદ થવાને કારણે ભૂસ્ખલનની અનેક ઘટનાઓ બની રહી છે. કુદરતી આફતે લોકોના ઘર છિનવી લીધા છે. સંપત્તિને કરોડોનું નુકસાન થયું છે. લોકોનો બચાવ સેના દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભારે વરસાદને કારણે પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જઈ રહી છે. મૃતકોનો આંકડો સતત વધતો જઈ રહ્યો છે. ત્યારે ખરાબ થતી પરિસ્થિતિને લઈ પીએમ મોદીએ આ મામલે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. કુદરતી આફતોને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનેક લોકો હજી પણ લાપતા છે. 


રવિવારે જે.પી.નડ્ડા જઈ શકે છે હિમાચલ પ્રદેશની મુલાકાતે 

પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકોમાં અનેક નેતાઓ સામેલ હતા. મળતી માહિતી અનુસાર આ બેઠકમાં અમિત શાહ, જે.પી.નડ્ડા પણ સામેલ હતા. તે ઉપરાંત રાજનાથસિંહ પણ આ બેઠકમાં સામેલ હતા. અનેક કલાકો સુધી બેઠક ચાલી હતી. રાજ્યમાં થતી લેન્ડસ્લાઈડ, ભારે વરસાદને કારણે થયેલા નુકસાન અંગેની ચર્ચા કરવામાં આવી હતી. એવી પણ માહિતી સામે આવી છે કે રવિવારે બીજેપી અધ્યક્ષ જે.પી.નડ્ડા હિમાચલ પ્રદેશની મુલાકાત લઈ શકે છે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.