Himachal Pradeshના હાલ વરસાદને કારણે થયા બેહાલ! વર્ષાને કારણે સર્જાયેલી દુર્ઘટનામાં થયા આટલા લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-15 13:12:03

હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે પરિસ્થિતિ બગડતી જઈ રહી છે. વરસાદ હિમાચલ માટે આફત લઈને આવ્યું છે. ભૂસ્ખલનને કારણે અનેક લોકોના મોત થયા છે. હિમાચલથી જે દ્રશ્યો સામે આવ્યા હતા તે ડરાવનારા હતા. સોમવાર સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ભૂસ્ખલનને કારણે શિવમંદિર તેમજ આસપાસનો વિસ્તાર નીચે ધસી પડ્યો હતો. આ દુર્ઘટનામાં અનેક લોકો ફસાઈ ગયા હતા. ભૂસ્ખલનને કારણે દટાયેલા લોકોને બહાર નિકાળવાની કામગીરી રેસ્ક્યુ ટીમ દ્વારા કરવામાં આવી હતી. 

શિવ મંદિર ધરાશાયી થતાં સર્જાઈ હતી દુર્ઘટના 

ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશથી ભૂસ્ખલનની અલગ-અલગ ઘટનાઓ સામે આવી રહી છે. અલગ અલગ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે, તેવા સમાચારો સામે આવી રહ્યા છે. શિમલાના સમર હિલ વિસ્તારમાં ભૂસ્ખલન થયા બાદ એક શિવ મંદિર ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં અનેક લોકો કાટમાળ નીચે દબાયા હતા. લોકોને બચાવવા માટે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી તે દરમિયાન 8 જેટલા લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યા હતા. તે બાદ વધારે ત્રણ લોકોના શવ કાઢવામાં આવ્યા છે. આ ઘટનામાં કુલ મૃત્યુ આંક 11 પર પહોંચી ગયો છે. 

અલગ અલગ જગ્યાઓ પર સર્જાયેલી દુર્ઘટનામાં થયા આટલા લોકોના મોત

પર્વતી વિસ્તારોમાં અનેક વખત ભૂસ્ખલન થવાની ઘટનાઓ થતી હોય છે જેને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. વરસાદ હિમચાલ પ્રદેશ માટે આફત બનીને આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં સર્જાયેલી દુર્ઘટનાઓની વાત કરીએ તો ભૂસ્ખલન થયું છે જેને કારણે મોત થયા છે, વાદળ ફાટવાને કારણે પણ લોકો કાળનો કોળિયો બન્યા છે. મળતી માહિતી અનુસાર અલગ અલગ ઘટનાઓમાં 52 લોકોએ જીવ ગુમાવ્યા છે. 



કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કરાઈ રહી છે કામગીરી 

મહત્વનું છે કે ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે. અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. વિગતવાર વાત કરીએ તો સોલનમાં વાદળ ફાટવાને કારણે 9 જેટલા લોકોના મોત થયાં છે, જ્યારે સિમલાની સમરહિલમાં થયેલી દુર્ઘટનાને કારણે 6 લોકોના મોત થયા છે. તે સિવાય ફાગલીમાં 4 લોકો દુર્ઘટનાનો શિકાર બન્યા છે. મહત્વનું છે દુર્ઘટનાને પહોંચી વળવા તેમજ લોકોનું રેસ્ક્યુ કરવા માટે એનડીઆરએફ ટીમની મદદ લેવામાં આવી છે. મહત્વનું છે કે સોમવારે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સમરહિલ વિસ્તારમાં આવેલું શિવ મંદિર ભૂસ્ખલનનું શિકાર બન્યું હતું. આ દુર્ઘટનાને કારણે 25 જેટલા લોકો કાટમાળની નીચે દબાઈ ગયા હતા.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.