Himachal Pradeshના હાલ વરસાદને કારણે થયા બેહાલ! વર્ષાને કારણે સર્જાયેલી દુર્ઘટનામાં થયા આટલા લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-15 13:12:03

હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે પરિસ્થિતિ બગડતી જઈ રહી છે. વરસાદ હિમાચલ માટે આફત લઈને આવ્યું છે. ભૂસ્ખલનને કારણે અનેક લોકોના મોત થયા છે. હિમાચલથી જે દ્રશ્યો સામે આવ્યા હતા તે ડરાવનારા હતા. સોમવાર સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ભૂસ્ખલનને કારણે શિવમંદિર તેમજ આસપાસનો વિસ્તાર નીચે ધસી પડ્યો હતો. આ દુર્ઘટનામાં અનેક લોકો ફસાઈ ગયા હતા. ભૂસ્ખલનને કારણે દટાયેલા લોકોને બહાર નિકાળવાની કામગીરી રેસ્ક્યુ ટીમ દ્વારા કરવામાં આવી હતી. 

શિવ મંદિર ધરાશાયી થતાં સર્જાઈ હતી દુર્ઘટના 

ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશથી ભૂસ્ખલનની અલગ-અલગ ઘટનાઓ સામે આવી રહી છે. અલગ અલગ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે, તેવા સમાચારો સામે આવી રહ્યા છે. શિમલાના સમર હિલ વિસ્તારમાં ભૂસ્ખલન થયા બાદ એક શિવ મંદિર ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં અનેક લોકો કાટમાળ નીચે દબાયા હતા. લોકોને બચાવવા માટે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી તે દરમિયાન 8 જેટલા લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યા હતા. તે બાદ વધારે ત્રણ લોકોના શવ કાઢવામાં આવ્યા છે. આ ઘટનામાં કુલ મૃત્યુ આંક 11 પર પહોંચી ગયો છે. 

અલગ અલગ જગ્યાઓ પર સર્જાયેલી દુર્ઘટનામાં થયા આટલા લોકોના મોત

પર્વતી વિસ્તારોમાં અનેક વખત ભૂસ્ખલન થવાની ઘટનાઓ થતી હોય છે જેને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. વરસાદ હિમચાલ પ્રદેશ માટે આફત બનીને આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં સર્જાયેલી દુર્ઘટનાઓની વાત કરીએ તો ભૂસ્ખલન થયું છે જેને કારણે મોત થયા છે, વાદળ ફાટવાને કારણે પણ લોકો કાળનો કોળિયો બન્યા છે. મળતી માહિતી અનુસાર અલગ અલગ ઘટનાઓમાં 52 લોકોએ જીવ ગુમાવ્યા છે. 



કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કરાઈ રહી છે કામગીરી 

મહત્વનું છે કે ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે. અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. વિગતવાર વાત કરીએ તો સોલનમાં વાદળ ફાટવાને કારણે 9 જેટલા લોકોના મોત થયાં છે, જ્યારે સિમલાની સમરહિલમાં થયેલી દુર્ઘટનાને કારણે 6 લોકોના મોત થયા છે. તે સિવાય ફાગલીમાં 4 લોકો દુર્ઘટનાનો શિકાર બન્યા છે. મહત્વનું છે દુર્ઘટનાને પહોંચી વળવા તેમજ લોકોનું રેસ્ક્યુ કરવા માટે એનડીઆરએફ ટીમની મદદ લેવામાં આવી છે. મહત્વનું છે કે સોમવારે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સમરહિલ વિસ્તારમાં આવેલું શિવ મંદિર ભૂસ્ખલનનું શિકાર બન્યું હતું. આ દુર્ઘટનાને કારણે 25 જેટલા લોકો કાટમાળની નીચે દબાઈ ગયા હતા.   



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.