હિમાચલ પ્રદેશ:ભાજપે 62 ઉમેદવારોની યાદી જાહેર કરી, સીએમ ઠાકુર સિરાજથી લડશે, જુઓ લિસ્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 09:31:41

તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારોની પસંદગી માટે દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની અધ્યક્ષતામાં બીજેપી સંસદીય બોર્ડની મેરેથોન બેઠક મંગળવારે મોડી રાત સુધી ચાલી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. મોદી-શાહે એક-એક સીટ પર મસલત કરી હતી.


એન્ટી ઈન્કમ્બન્સીના કારણે ત્રણ મંત્રીઓ અને અનેક ધારાસભ્યોની ટિકિટ પર તલવાર લટકી ગઈ છે, જ્યારે બે મંત્રીઓની વિધાનસભાની બેઠકો બદલવાની પણ ચર્ચા થઈ છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિએ મોડી રાત સુધી તમામ ટિકિટો અંગે નિર્ણય લઈ લીધો હતો. ભાજપે બુધવારે સવારે 62 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે.


આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, સર્બાનંદ સોનોવાલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુરેશ કશ્યપ, મુખ્યમંત્રી જયરામ ઠાકુર, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સૌદાન સિંહ, ભાજપના પ્રભારી અવિનાશ રાય ખન્ના, સહ પ્રભારી સંજય ટંડન. , કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર સહિત અનેક પ્રાદેશિક નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાજ્ય ચૂંટણી સમિતિની બે તબક્કામાં યોજાયેલી બેઠકોની ચર્ચા કરવામાં આવી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.