સ્વિત્ઝર્લેન્ડમાં જાહેરમાં બુરખો પહેરવા પર 900 પાઉન્ડનો દંડ, સરકારે આપી સંસદને દરખાસ્ત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 12:59:57

ભારત અને ઈરાનમાં બુરખા મુદ્દે  વિવાદ અને વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. હવે સ્વિત્ઝરર્લેન્ડમાં બુરખા પ્રતિબંધ કાયદા હેઠળ મહિલાઓએ ચહેરો ઢાંકવા પર 900 પાઉન્ડ (82 હજાર રૂપિયા)ના દંડની દરખાસ્ત રાખવામાં આવી છે. સ્વિઝર્લેન્ડ સરકારે મુસદ્દો સંસદને મોકલી આપ્યો છે. જો કે ધાર્મિક સ્થળો, રાજકીય મેળાવડા અને વિમાનોમાં ચેહરો ઢાંકવા પર કોઈ દંડ લાગશે નહીં. આ પ્રસ્તાવ તે સમુહે જ રજુ કર્યો છે જેણે 2009માં ઈસ્લામી મીનારો પર પ્રતિબંધનો પ્રસ્તાવ રાખ્યો હતો.


બુરખો કટ્ટરપંથ અને રાજકીય ઈસ્લામનું પ્રતિક


આ કાયદાનો હેતું હિંસક પ્રદર્શનકારોને માસ્ક પહેરતા રોકવાનો છે. સ્થાનિક રાજનેતાઓ, મીડિયા, અને ચળવણકારોએ તેને બુરખા બેન કહ્યો છે. કેબિનેટે એક નિવેદનમાં કહ્યું કે ચહેરો ઢાંકવા પર પ્રતિબંધનો હેતું જાહેર સ્થળોએ સુરક્ષા અને કાનુન વ્યવસ્થા જાળવી રાખવાનો છે. પ્રતિબંધના સમર્થકોએ ચહેરો ઢાંકવો તે કટ્ટરપંથ અને રાજકીય ઈસ્લામનું પ્રતિક છે.   


યુરોપના અન્ય દેશોમાં પણ છે પ્રતિબંધ


અત્રે ઉલ્લેખનિય છે કે યુરોપના અન્ય દેશોમાં પણ બુરખા પર પ્રતિબંધ છે. ફ્રાન્સમાં પહેલી વખત ચહેરો ઢાંકવા પર 11 એપ્રિલ 2011માં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ ડેનમાર્ક, ઓસ્ટ્રિયા, નેધરર્લેન્ડ અને બુલ્ગારિયામાં પણ જાહેર સ્થળો પર બુરખો પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.