AMC અધિકારી પર થયેલા હુમલા અંગે Highcourt નારાજ, અધિકારીઓની સુરક્ષા અંગે શું પગલા લેવાયા તેવા પ્રશ્નો પૂછ્યા


  • Published By :
  • Published Date : 2023-11-08 16:47:03

રસ્તા પર રખડતા ઢોર મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. લોકો પર ઢોરના હુમલાનો ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે. લોકો હુમલાનો શિકાર બની રહ્યા છે. ઢોરના ત્રાસથી મુક્તિ અપાવા માટે તંત્ર દ્વારા શું પગલા લેવામાં આવ્યા તે મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ગઈકાલે 5000થી વધારે પાનાનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો જેમાં ક્યાંથી કેટલા ઢોર પકડાયા તે અંગેની માહિતી આપવામાં આવી હતી. ત્યારે આજે પણ આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી હતી. ટીમ જ્યારે ઢોરને પકડવા જાય છે ત્યારે ટીમ પર હુમલો કરવામાં આવતો હોય છે તેવી ઘટના અનેક વખત બનતી હોય છે ત્યારે આ મામલે અધિકારીની સુરક્ષા અંગે શું પગલા લેવાયા તે અંગે ચર્ચા થઈ હતી. 

High Court: હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને માન્યતા અપાવવા ગુજરાત હાઈકોર્ટ  એડવોકેટ એસોસિએશને રાજ્યપાલને લખ્યો પત્ર - Gujarati News | High Court:  Gujarat High Court ...

રખડતા ઢોર મામલે શું કાર્યવાહી કરાઈ તેનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો 

ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અનેક લોકો રખડતા ઢોરની અડફેટે આવતા હોય છે અને મોતને ભેટતા હોય છે. કોઈને ગંભીર ઈજા પહોંચતી હોય છે. તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે તેવા દાવા તંત્ર દ્વારા કરવામાં આવતા હતા. પરંતુ જ્યારે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે જજે કહ્યું કે અનેક વખત સમાચારોમાં અમે વાંચીએ છીએ કે રખડતા ઢોરની અડફેટે લોકો આવી રહ્યા છે. જો કામગીરી કરવામાં આવી રહી છે તો તે વાસ્તવિક્તામાં કેમ દેખાઈ નથી રહી? રખડતા ઢોર મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ટકોર અનેક વખત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા શું પગલા લેવાયા તેની માહિતી મંગાવાઈ હતી. હાઈકોર્ટમાં તંત્ર દ્વારા 5000થી વધારે પાનાનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જેમાં આ અંગેની માહિતી આપવામાં આવી હતી. 

રખડતા ઢોરનો ત્રાસ: સમગ્ર દેશમાં 2.03 કરોડ રખડતા ઢોર, હુમલાથી દરરોજ 3 લોકોના  થાય છે મોત | 3 people dying every day in india due to attack of stray  animals

એએમસીના અધિકારી પર થયેલા હુમલાથી હાઈકોર્ટ નારાજ

ખરાબ રસ્તા, રખડતા ઢોર મુદ્દે આજે પણ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે જેમાં ટીમ જ્યારે રખડતા ઢોરને પકડવા માટે જાય છે ત્યારે તેમની પર હુમલો થાય છે. ત્યારે આ અધિકારીઓની સુરક્ષા અંગે શું પગલા લેવાયા તે અંગે પણ હાઈકોર્ટે પ્રશ્ન પૂછ્યો હતો. એએમસીના અધિકારીઓ પર થયેલા હુમલા મામલે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું કે જાણે પશુને મારતા હોય તેમ અધિકારીઓને માર મારવામાં આવ્યો તે તદ્દન અયોગ્ય છે. ત્યારે સરકાર તરફથી કેસને લડી રહેલા એડવોકેટે કોર્ટમાં જણાવ્યું કે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી, ઉપરાંત આગળ પણ કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓની સુરક્ષા મામલે પોલીસે સોગંદનામું રજૂ કરવા આદેશ આપ્યો છે. 


ખરાબ રસ્તાને કારણે વાહનચાલકોને પડે છે મુશ્કેલી

મહત્વનું છે કે અનેક વખત જ્યારે જ્યારે ટીમ ઢોરને પકડવા જાય છે ત્યારે તેમની પર હુમલો કરવામાં આવે છે. રખડતા ઢોરનો ત્રાસ તો છે પરંતુ ખરાબ રસ્તાઓને કારણે પણ લોકો પરેશાન થાય છે. ખરાબ રસ્તાને કારણે લોકોને ભોગવવાનો વારો આવે છે. અનેક વખત અકસ્માત સર્જાય છે અને વાહનચાલકને મોતને ભેટવું પડે છે. હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલી ટકોર બાદ જેવી કાર્યવાહી કરવામાં આવી તેવી કાર્યવાહી સામાન્ય દિવસો દરમિયાન થાય તેવી લોકોને આશા છે. મહત્વનું છે કે રખડતા શ્વાનનો ત્રાસ પણ સતત વધતો જઈ રહ્યો છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!