મોરબી હોનારતને લઈ હાઈકોર્ટે કર્યો વચગાળાનું વળતર ચૂકવાનો આદેશ, જયસુખ પટેલ મૃતકોને ચૂકવશે 10 લાખ રુપિયા


  • Published By :
  • Published Date : 2023-02-22 14:58:11

દિવાળી સમયે મોરબીમાં એક હોનારત સર્જાઈ હતી જેમાં 135 જેટલા લોકો મોતને ભેટ્યા છે. મોરબી ઝૂલતા પુલમાં બનેલી હોનારતને કારણે અનેક પરિવારો વિખેરાઈ ગયા છે. ત્યારે આ મામલાને લઈ હાઈકોર્ટમાં વચગાળાના વળતર મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે જયસુખ પટેલને મૃતક પરિવારને 10 લાખ રુપિયા ચૂકવવા તેમજ ઈજાગ્રસ્તોને 2 લાખ ચૂકવવા આદેશ કર્યો છે.


જયસુખ પટેલે મૃતકોના પરિવારને ચૂકવવા પડશે 10 લાખ  

30 ઓક્ટોબરના રોજ મોરબીમાં એક હોનારત સર્જાઈ હતી જેમાં ઝૂલતો બ્રિજ તૂટી પડ્યો હતો. આ હોનારતમાં 135 જેટલા લોકોના મોત થયા હતા. અનેક પરિવાર આ ઘટના બાદ વિખેરાઈ ગયા હતા. ત્યારે હાઈકોર્ટમાં વચગાળાના વળતર મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં કોર્ટે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલને મૃતક પરિવારને 10 લાખ રુપિયા ચૂકવવાનો આદેશ કરાયો છે જ્યારે ઈજાગ્રસ્તોને 2 લાખની સહાય આપવા આદેશ કરાયો છે.


કોર્ટે મોરબી નગરપાલિકાને પૂછ્યા અનેક પ્રશ્ન  

કોર્ટે મોરબી પાલિકાની ઝાટકણી કાઢી છે. પાલિકાને અનેક પ્રશ્નો પૂછ્યા છે. જેમાં વગર ટેન્ડરે પુલના સમારકામનો કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો? શું દુર્ઘટનાના જવાબદારો સામે ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ મૂજબ પગલાં લેવાયા? પુલનો કોન્ટ્રાક્ટ 2017માં પૂર્ણ થઈ ગયો હતો જે બાદ નવા ટેન્ડર માટે પ્રોસેસ કરવામાં આવી? પુલની ફિટનેસ સર્ટિફાઈડ કરવાની જવાબદારી કોની હતી? 2008 પછી એમઓયુ રિન્યુ ન થયા તો કઈ રીતે પુલના સંચાલનની મંજૂરી અજંતાને અપાઈ? મોરબી નગરપાકિલાની જ જવાબદારી બને છે તો તેણે સત્તા મુજબ પગલાં કેમ ન લીધા?


અનેક પરિવારો પહોંચ્યા હતા હાઈકોર્ટ   

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિત 120 પરિવાર ગુજરાત હાઈકોર્ટ પરિસર પહોંચ્યા હતા. તેમને ન્યાય મળે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આ દુર્ઘટનામાં 135 જેટલા લોકોના મોત થયા હતા. ગુજરાત હાઈકોર્ટ પણ આ મામલે ગંભીર દેખાઈ હતી. આજે કોર્ટમાં વચગાળાના વળતર મુદ્દે સુનાવણી કરવામાં આવી હતી.      




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!