મમતા બેનર્જીની યોજનાને હાઈકોર્ટે ગેરકાયદે જાહેર કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 15:42:40

કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સરકારની રહી દુઆરે રાશન યોજનાને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ વિરુદ્ધની યોજના કહી. આ યોજના અંતર્ગત લાભાર્થીઓના ઘરે રાશન સામગ્રી આપવામાં આવવાની હતી.


160 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો હતો પ્લાન 

પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારે આ યોજના લોન્ચ કરતા સમયે જણાવ્યું હતું કે આ યોજના પાછળ સરકાર 160 રૂપિયા ખર્ચશે. લોકોના ઘરે-ઘરે રાશન પહોંચાડવા મમતા બેનરજી સરકાર વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યું હતું. જેના માટે 21 હજાર રાશન ડિલરને 1-1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાનો મમતા સરકારનો પ્લાન હતો. મમતા બેનરજી સરકારનો પ્લાન હતો કે આ યોજના હેઠળ સરકાર 10 કરોડ લોકોને ઘરે રાશન પહોંચાડી શકે. સરકારનો દાવો હતો કે આ યોજનાથી પશ્ચિમ બંગાળમાં નવી 42 હજાર નોકરીનું સર્જન થશે 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે