રામ મંદિર આંદોલનની નાયિકાઓ સાધ્વી ઋતંભરા અને ઉમા ભારતી બની ભાવુક, જાણો તેમના યોગદાન અંગે


  • Published By :
  • Published Date : 2024-01-22 16:52:20

અયોધ્યાાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈ  આજે સમગ્ર દેશ રામમય બન્યો છે. આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લોકોમાં રામ મંદિર આંદોલનમાં મહત્વની ભૂમિકા નિભાવનારા લોકોનો પણ સમાવેશ થતો હતો. જેમાં બે સાધ્વીઓ સાધ્વી ઋતંભરા અને ઉમા ભારતી પણ ત્યાં પહોંચી હતી.બંને સાધ્વીઓનું વર્ષો જુનુ સપનુ સાકાર થતાં ભાવુક થઈ ગઈ હતી. બંનેની ભીની આંખો જોઈએ માહોલ ગમગીન બની ગયો હતો.


ઉમા ભારતી અને ઋતંભરાનું મોટું યોગદાન 


રામ મંદિર આંદોલનમાં ઉમા ભારતી અને ઋતુંભરાનું મોટું યોગદાન રહ્યું છે. 6 ડિસેમ્બર 1992ના રોજ જ્યારે અયોધ્યામાં લાખો કાર સેવકો પહોંચ્યા હતા તેમના પર ઉમા ભારતી અને સાધ્વી ઋતંભરાનો જબરદસ્ત પ્રભાવ હતો. ઉમા ભારતીએ તે સમયે કારસેવકોને કહ્યું કે કામ હજુ પૂરૂ થયું નથી. જ્યાં સુધી કામ પૂરૂ ન થાય પરિસર ના છોડો. આખો વિસ્તાર સમતળ કરવાનો છે. કાર સેવકોને ઉશ્કેરવામાં ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા અને આચાર્ય ધર્મેન્દ્રની ભૂમિકા ખાસ હતી. વર્ષ 1992ની કારસેવામાં ઉમા ભારતીએ બે નારા આપ્યા હતા, 'રામ નામ સત્ય હૈ, બાબરી મસ્જિદ ધ્વસ્ત હૈ', જ્યારે બીજો નારો હતો 'એક ધક્કા ઔર દો બાબરી મસ્જિદ તોડ દો' આ બંને નારા કારસેવકોના પ્રાણ વાયુ બની ગયા હતા.  


બંનેના ભાષણોએ માહોલ બનાવ્યો


રામ મંદિર આંદોલન વખતે ઉમા ભારતી અને સાધ્વી ઋતંભરાના ભાષણોએ માહોલ બનાવ્યો હતો. બંને નેતાઓના ભાષણોની ઓડિયો કેસેટ તે સમયે ખૂબ જ લોકપ્રિય બની હતી. વિશ્વ હિંદુ પરિષદ, રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ, બજરંગ દળ અને ભાજપના કાર્યકરો ગુપ્ત રીતે આ કેસેટો લોકો સુધી પહોંચાડતા હતા. તેમના ભાષણોનો એવો પ્રભાવ હતો કે સાંભળીને લોકો ઉશ્કેરાઈ જતા હતા. તેમના ભાષણોએ જ લાખો હિંદુઓને ભગવાન રામ પ્રત્યે આકર્ષિત કર્યા હતા. લોકોમાં રામ મંદિર નિર્માણને લઈ એક અલગ જ ભાવના પેદા થઈ હતી. આજે જ્યારે  બંને અયોધ્યા પહોંચી તો તેમની આંખોમાં સંકલ્પ સિધ્ધીની ખુશી છલકાઈ હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.