ગંગોત્રી ધામમાં ભારે હિમવર્ષા, તાપમાનનો પારો પહોંચ્યો માઈનસમાં


  • Published By :
  • Published Date : 2023-01-12 12:50:34

ચારધામને આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. શિયાળાની શરૂઆત થતા જ દેશના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ હતી. કેદારનાથ ધામ પર હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. ગંગોત્રી ધામથી પણ હિમવર્ષા થવાના દ્રશ્યો સામે આવ્યા છે. જે અત્યંક મોહક છે. ગંગોત્રીમાં તાપમાનનો પારો માઈનસ 3 ડિગ્રીએ પહોંચી ગયો છે. ગંગોત્રી મંદિર પર બરફ છવાઈ ગયો છે.


ગંગોત્રી ધામ પર છવાયો બરફ 

કડકડતી ઠંડીને કારણે ભારતના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. હિમવર્ષાને કારણે બરફની ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વધતી ઠંડીને કારણે કેદારનાથ ધામ તો અનેક વખત બરફમાં ઢંકાઈ જાય છે. કેદારનાથની સાથે સાથે ગંગોત્રી ધામ મંદિરે બરફની ચાદર ઓઢી લીધું છે.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.