વતન જવા માટે Surat Railway Stationમાં મુસાફરોનો ભારે ઘસારો, ધક્કામૂકીને કારણે એક વ્યક્તિનું મોત જ્યારે અનેક લોકો બેભાન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-11 14:30:06

દિવાળીના સમયે વતન જવા માટે લોકોની પડાપડી રેલવે સ્ટેશન પર, બસ સ્ટેશનો પર જોવા મળી રહી છે. પરિવાર સાથે તહેવારની ઉજવણી થાય તેવી આશા દરેક માણસને હોય છે. જ્યારે તહેવાર પોતાના પરિવાર સાથે મનાવવામાં આવે છે ત્યારે તે ઉત્સવની ઉજવણી ડબલ થઈ જતી હોય છે. દિવાળીના સમયે વતન જવા માટે લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. સ્ટેશનોથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે ડરાવી દે તેવા છે. સુરત રેલવે સ્ટેશન પર હજારો લોકો ઉમટી પડતા ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. આ ધક્કામૂકીમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે.

   

 સુરત: દિવાળીની તહેવારોની રજાઓમાં સુરત રેલ્વે સ્ટેશન પર આજ સવારથી જ ભારે ભીડ જોવા મળી રહી છે. રેલ્વે સ્ટેશન પર આજે હજારો લોકો ઉમટી પડતા ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. આ ધક્કામુક્કીમાં એક વ્યક્તિનું મોત થયાનું પણ સામે આવ્યુ છે. આ ઉપરાંત ત્રણ લોકો બેભાન થયા છે. જેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

રેલવે સ્ટેશનમાં ધક્કામૂકી થવાને કારણે સર્જાઈ દુર્ઘટના 

રોજી-રોટી માટે ગામડાઓમાંથી લોકો શહેરોમાં આવતા હોય છે. પરંતુ તહેવાર દરમિયાન પોતાના વતનમાં તેઓ ફરતા હોય છે. દિવાળીના સમય દરમિયાન સ્ટેશનો પર મુસાફરોનો ઘસારો જોવા મળતો હોય છે. એસટી સ્ટેશન પર, રેલવે સ્ટેશન પર મુસાફરો હજારોની સંખ્યામાં ઉમટતા હોય છે. ધક્કામૂકીના દ્રશ્યો સર્જાતા હોય છે જેને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાય છે. ત્યારે સુરતથી એક ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિનું મોત ધક્કામૂકીને કારણે થયું છે. સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. સુરત રેલવે સ્ટેશનથી સમાચાર સામે આવ્યા છે જેમાં ચારથી પાંચ લોકો બેભાન થઈ ગયા છે જ્યારે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. બેભાન થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

 નોંધનીય છે કે, સુરતમાં પરપ્રાંતિય લોકો મોટી સંખ્યામાં વસવાટ કરતા હોય છે. આ લોકો દિવાળીની રજાઓમાં પોતાના વતન જતા હોય છે. જોકે, ગઇકાલે શુક્રવારે પણ તાપી-ગંગા સાહિતની ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. ટ્રેનમાં બેસવા માટે કલાકોથી લોકો લાઈનમાં ઉભા હતા. ટ્રેનની 1700 લોકોની કેપેસિટીની સામે 5 હજારથી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યુ હતુ.

4 passengers fainted at Surat railway station due to heavy rush of passengers સુરત રેલવે સ્ટેશન પર પ્રવાસીનો ભારે ધસારો, 4થી વધુ લોકો થયા બેભાન, 1ની હાલત ગંભીર

ધક્કામૂકીને કારણે એક વ્યક્તિનું થયું મોત 

સુરત સહિતના મોટા શહેરોમાં પરપ્રાંતિયો મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે. કમાવવા માટે પોતાનું વતન છોડી મોટા શહેરો તરફ આવતા હોય છે. પરંતુ જ્યારે તહેવાર આવે છે ત્યારે પોતાના વતન તરફ જતા હોય છે. તહેવારો દરમિયાન રેલવે, બસ સ્ટેશનમાં ભારે ભીડ જોવા મળતી હોય છે. કલાકોનું વેટિંગ રહેતું હોય છે. ભારે ભીડ ઉમટતી હોય છે જેને કારણે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાય છે અને દુર્ઘટના બનતી હોય છે. દિવાળીનો તહેવાર નજીક આવતા ટ્રેનોમાં તેમજ બસોમાં ભારે ઘસારો જોવા મળે છે. ત્યારે સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી. ચારથી પાંચ લોકો બેભાન થઈ ગયા હતા જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. સારવાર અર્થે બેભાન થયેલા લોકોને ખસેડવામાં આવ્યા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.