રાજ્યના અનેક વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ! વહેલી સવારે કડાકા ભડાકા સાથે થયો કમોસમી વરસાદ!


  • Published By :
  • Published Date : 2023-04-29 11:13:18

વહેલી સવારે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. બીજી મે સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે જેને લઈ રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી ઝાપટા આવ્યા હતા. વહેલી સવારથી અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારો જેવા કે વટવા, મણીનગર, ઈસનપુર, વસ્ત્રાપુર, બોપલ, ઘાટલોડિયા સહિત અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો. તે ઉપરાંત બીજા અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. 


અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ!

માવઠાને લઈ હવામાન વિભાગે આગાહી કરી હતી જે મુજબ 29 એપ્રિલે અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, પાટણ, મહેસાણા,અરવલ્લી  સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, અમરેલી ભાવનગર, ભરૂચ, સુરત સહિત અનેક વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉનાળામાં વરસાદી માહોલ જામ્યો છે. જસદણમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. મળતી માહિતી અનુસાર એક કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. 


ખેતરમાં થયેલા પાકને થયું નુકસાન! 

ઉનાળામાં વરસાદ થવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉનાળા પાક બગડવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. તલ, બાજરો, જુવાર સહિતના પાકને નુકસાન પહોંચશે તેવી ભીતિ સેવી રહ્યા છે. જસદણ ઉપરાંત આટકોટ, કનસેરા કોઠી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તે સિવાય ગોંડલ અને જેતપુરમાં પણ કમોસમી વરસાદ થયો હતો. ત્યારે આવનાર દિવસોમાં પણ વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. 


આગમી દિવસોમાં આવશે માવઠું! 

30 એપ્રિલએ કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પહેલી મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં માવઠાની આગાહી કરી છે. ભરઉનાળે વરસાદનું આગમન થતાં ધરતીપુત્રની ચિંતા વધી છે. પાકને નુકસાન પહોંચ્યું છે જેને કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર જલ્દી સહાય ચૂકવે તેવી ખેડૂતોની માગ છે.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.