અમદાવાદમાં થઈ મેઘમહેર, શહેરના આ વિસ્તારો થયા જળબંબાકાર, લોકોને ભારે હાલાકી


  • Published By :
  • Published Date : 2023-09-25 19:06:50

આજે અમદાવાદના હવામાનમાં પલટો આવ્યો હતો, શહેરના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર થતાં શહેરીજનોએ ખુશનુમા માહોલની મજા માણી હતી. છેલ્લા કેટલાક દિવસથી બફારાનો સામનો કરી રહેલા અમદાવાદીઓએ ઠંડકની અનુભૂતી કરી હતી. જો કે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના પ્રખ્યાત લો ગાર્ડન પાસે માર્ગો પર પાણી ભરાતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકો અને વાહનચાલકોએ AMCના હોદ્દેદારો તથા ચૂંટાયેલા પ્રતિનિધીઓને ઉદ્દેશીને રોષ ઠાલવતા જોવા મળ્યા હતા.





શહેરના આ વિસ્તારોમાં મેઘમહેર


અમદાવાદ શહેરમાં વરસાદી ઝાપટાં અંગે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે શહેરના પશ્ચિમ ભાગના વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદ પડ્યો હતો. શહેરના લો ગાર્ડન, આંબાવાડી, પરિમલ ગાર્ડન, પાલડી, ગુજરાત કોલેજ, પ્રહલાદનગર ગાર્ડન, એસજી હાઈવે, સીજી રોડ, પંચવટી, શ્યામલ, શિવરંજની, જીએમડીસી ગ્રાઉન, હેલમેટ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદના કારણે વિઝીબિલિટી ઘટી ગઈ છે. જો કે વરસાદી ઝાપટા બાદ વાતાવરણમાં ઠંઠક પ્રસરી ગઈ હતી અને લોકો આ આહલાદક માહોલનો આનંદ માણવા નિકળી પડ્યા હતા. વરસાદને કારણે માણેકચોક અને ઈસનપુર સહિતના શહેરના પૂર્વ વિસ્તારોમાં પાણી ભરાયા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.