અમદાવાદમાં થઈ મેઘમહેર, શહેરના આ વિસ્તારો થયા જળબંબાકાર, લોકોને ભારે હાલાકી


  • Published By :
  • Published Date : 2023-09-25 19:06:50

આજે અમદાવાદના હવામાનમાં પલટો આવ્યો હતો, શહેરના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર થતાં શહેરીજનોએ ખુશનુમા માહોલની મજા માણી હતી. છેલ્લા કેટલાક દિવસથી બફારાનો સામનો કરી રહેલા અમદાવાદીઓએ ઠંડકની અનુભૂતી કરી હતી. જો કે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના પ્રખ્યાત લો ગાર્ડન પાસે માર્ગો પર પાણી ભરાતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકો અને વાહનચાલકોએ AMCના હોદ્દેદારો તથા ચૂંટાયેલા પ્રતિનિધીઓને ઉદ્દેશીને રોષ ઠાલવતા જોવા મળ્યા હતા.





શહેરના આ વિસ્તારોમાં મેઘમહેર


અમદાવાદ શહેરમાં વરસાદી ઝાપટાં અંગે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે શહેરના પશ્ચિમ ભાગના વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદ પડ્યો હતો. શહેરના લો ગાર્ડન, આંબાવાડી, પરિમલ ગાર્ડન, પાલડી, ગુજરાત કોલેજ, પ્રહલાદનગર ગાર્ડન, એસજી હાઈવે, સીજી રોડ, પંચવટી, શ્યામલ, શિવરંજની, જીએમડીસી ગ્રાઉન, હેલમેટ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદના કારણે વિઝીબિલિટી ઘટી ગઈ છે. જો કે વરસાદી ઝાપટા બાદ વાતાવરણમાં ઠંઠક પ્રસરી ગઈ હતી અને લોકો આ આહલાદક માહોલનો આનંદ માણવા નિકળી પડ્યા હતા. વરસાદને કારણે માણેકચોક અને ઈસનપુર સહિતના શહેરના પૂર્વ વિસ્તારોમાં પાણી ભરાયા છે.



જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.

હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે