વૈશાખ મહિનામાં જામ્યો અષાઢી માહોલ! રાજ્યના અનેક જિલ્લાઓમાં ખાબક્યો બે ઈંચથી વધુ વરસાદ! ભારે વરસાદ થતાં સર્જાયા પૂર જેવા દ્રશ્યો!


  • Published By :
  • Published Date : 2023-05-06 12:48:42

ભરઉનાળે અષાઢી માહોલ જામ્યો છે. કમોસમી વરસાદ એટલો બધો વરસી રહ્યો છે કે અનેક જગ્યાઓ પર પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાજકોટના અનેક જિલ્લાઓમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો તો બીજી તરફ ધોરાજી અને ઉપલેટામાં પણ બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો. આટલો બધો વરસાદ વરસતા નીચાણવાળી જગ્યાઓમાં પાણી ભરાઈ ગયા હતા. 

ધોરાજી પંથકની નદી બે કાંઠે થઈ


કલાણા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું

ઉનાળામાં સર્જાયા પૂર જેવા દ્રશ્યો! 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉનાળામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદ માત્ર છાંટા પુરતો સિમિત નથી પરંતુ ઈંચમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં બે ઈંચ કરતા વધારે વરસાદ ખાબક્ચો હતો. અનેક જગ્યાઓ પર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે ઉપલેટામાં ગઈકાલ સાંજે બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ધોરાજીમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. સુપેડી, ગઢાળા સહિતના વિસ્તારોમાં એકથી દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો બીજી તરફ જસદણ અને જામકંડોરણા પણ વરસાદી માહોલ જામ્યો હતો. જો વરસાદની સિઝનમાં આવો વરસાદ વરસ્યો હોત તો ખેડૂતો ખુશ થતા પરંતુ ઉનાળામાં વરસાદ થતાં જે વરસાદ ખેડૂતોને ખુશી આપતો હોય છે તે આજે તેમને રડાવી રહ્યો છે.        

ખેતરો પાણી પાણી થયા.

નદી-નાળા બેકાંઠે વહ્યા.

કુદરતી આફતથી ધરતી પુત્રો પરેશાન!

રાજકોટમાં તો વરસાદને કારણે પરિસ્થિતિ એકદમ ખરાબ થઈ ગઈ હતી. ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ખેતરોમાં પાણી ઘૂસવાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. પાક નિષ્ફળ જવાને કારણે જગતનો તાત દુખી થયો છે. એક તરફ કુદરત રૂઠી હોય તેવું લાગી રહ્યું છે તો બીજી તરફ સરકાર પણ તેમની વાત નથી સાંભળતી. સહાયની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે પરંતુ હજી સુધી સહાય આપવામાં આવી નથી. 


સરકારે વિશેષ પેકેજની કરી જાહેરાત!

કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદથી પરેશાન થયેલા ખેડૂતોને લઈ સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે. ચાલુ વર્ષે થયેલ કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાની પેટે વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ નિર્ણય મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં લેવાયો છે. સરકારને 13 જિલ્લાના 48 તાલુકામાં પાક નુકશાની સર્વે અંગેનો રિપોર્ટ મળ્યો હતો.   




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!