વૈશાખ મહિનામાં જામ્યો અષાઢી માહોલ! રાજ્યના અનેક જિલ્લાઓમાં ખાબક્યો બે ઈંચથી વધુ વરસાદ! ભારે વરસાદ થતાં સર્જાયા પૂર જેવા દ્રશ્યો!


  • Published By :
  • Published Date : 2023-05-06 12:48:42

ભરઉનાળે અષાઢી માહોલ જામ્યો છે. કમોસમી વરસાદ એટલો બધો વરસી રહ્યો છે કે અનેક જગ્યાઓ પર પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાજકોટના અનેક જિલ્લાઓમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો તો બીજી તરફ ધોરાજી અને ઉપલેટામાં પણ બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો. આટલો બધો વરસાદ વરસતા નીચાણવાળી જગ્યાઓમાં પાણી ભરાઈ ગયા હતા. 

ધોરાજી પંથકની નદી બે કાંઠે થઈ


કલાણા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું

ઉનાળામાં સર્જાયા પૂર જેવા દ્રશ્યો! 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉનાળામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદ માત્ર છાંટા પુરતો સિમિત નથી પરંતુ ઈંચમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં બે ઈંચ કરતા વધારે વરસાદ ખાબક્ચો હતો. અનેક જગ્યાઓ પર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે ઉપલેટામાં ગઈકાલ સાંજે બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ધોરાજીમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. સુપેડી, ગઢાળા સહિતના વિસ્તારોમાં એકથી દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો બીજી તરફ જસદણ અને જામકંડોરણા પણ વરસાદી માહોલ જામ્યો હતો. જો વરસાદની સિઝનમાં આવો વરસાદ વરસ્યો હોત તો ખેડૂતો ખુશ થતા પરંતુ ઉનાળામાં વરસાદ થતાં જે વરસાદ ખેડૂતોને ખુશી આપતો હોય છે તે આજે તેમને રડાવી રહ્યો છે.        

ખેતરો પાણી પાણી થયા.

નદી-નાળા બેકાંઠે વહ્યા.

કુદરતી આફતથી ધરતી પુત્રો પરેશાન!

રાજકોટમાં તો વરસાદને કારણે પરિસ્થિતિ એકદમ ખરાબ થઈ ગઈ હતી. ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ખેતરોમાં પાણી ઘૂસવાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. પાક નિષ્ફળ જવાને કારણે જગતનો તાત દુખી થયો છે. એક તરફ કુદરત રૂઠી હોય તેવું લાગી રહ્યું છે તો બીજી તરફ સરકાર પણ તેમની વાત નથી સાંભળતી. સહાયની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે પરંતુ હજી સુધી સહાય આપવામાં આવી નથી. 


સરકારે વિશેષ પેકેજની કરી જાહેરાત!

કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદથી પરેશાન થયેલા ખેડૂતોને લઈ સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે. ચાલુ વર્ષે થયેલ કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાની પેટે વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ નિર્ણય મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં લેવાયો છે. સરકારને 13 જિલ્લાના 48 તાલુકામાં પાક નુકશાની સર્વે અંગેનો રિપોર્ટ મળ્યો હતો.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.