ભારે વરસાદે ભરૂચમાં મચાવી તબાહી, લોકોને ફૂડ પેકેટ પહોંચાડવા માટે કલેક્ટર આવ્યા આગળ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-19 17:10:33

ગુજરાતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. અનેક જિલ્લાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આગામી દિવસો દરમિયાન પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નર્મદા ડેમમાં પાણી આવવાને કારણે અનેક ગામોમાં પાણી ભરાયા છે. ડેમનું  પાણી રસ્તાઓ પર દેખાચું હતું. નર્મદા ડેમનું જળસ્તર વધવાને કારણે અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચમાં ભારે વરસાદને કારણે લોકો ઘરની બહાર નથી નિકળી શકતા. લોકો સુધી ફૂડ પેકેટ પહોંચાડવા માટે જિલ્લા કલેક્ટર મદદે આવ્યા છે. ભરૂચના કલેક્ટરે પૂરની સ્થિતિમાં ફસાયેલા લોકોને ફૂડ પેકેટ આપવા પહોંચ્યા હતા.      

અનેક લોકોનું કરાયું સ્થળાંતર તો અમુક લોકો ફસાયા વરસાદી પાણીમાં 

હાલ ભાદરવો મહિનો ચાલી રહ્યો છે. ભાદરવો ભરપૂર એવું આપણે ત્યાં કહેવાય છે.ઓગસ્ટ મહિનામાં વરસાદે ખેડૂતોની ચિંતા વધારી હતી પરંતુ સપ્ટેમ્બર મહિનાએ ખેડૂતોની ચિંતા ઘટાડી છે. સપ્ટેમ્બર મહિનામાં મેહુલો મન મૂકીને વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે. ડેમો પાણીથી છલોછલ ભરાયા છે. નર્મદા ડેમ એટલે કે સરદાર સરોવર ડેમ પણ પોતાની મહત્તમ જળસપાટી પર પહોંચ્યો છે. ડેમમાં પાણીની આવક થતાં અનેક ગામોને એલર્ટ કરાયા છે. અનેક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. ભરૂચમાં પણ અત્યંત ભયાનક સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ત્યારે ભરૂચમાં પણ વરસાદે તબાહી મચાવી છે.     


જિલ્લા કલેક્ટરે કર્યું ફૂડ પેકેટનું વિતરણ

ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. આવનારા દિવસો દરમિયાન વરસાદી માહોલ યથાવત રહી શકે છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદી પાણી ભરાવવાને કારણે લોકો ઘરની બહાર નિકળી નથી શકતા. ત્યારે લોકો સુધી જમવાનું પહોંચે તે માટે ફૂડ પેકેટ વહેંચવામાં આવી રહ્યા છે. ભરૂચમાં જિલ્લા કલેક્ટરે વરસાદથી પ્રભાવિત લોકોને ફૂડ પેકેટ આપ્યા હતા. રાહત કાર્ય માટે કલેક્ટર મદદે આવ્યા હતા. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  




જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.

હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે