ભારે વરસાદે ભરૂચમાં મચાવી તબાહી, લોકોને ફૂડ પેકેટ પહોંચાડવા માટે કલેક્ટર આવ્યા આગળ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-19 17:10:33

ગુજરાતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. અનેક જિલ્લાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આગામી દિવસો દરમિયાન પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નર્મદા ડેમમાં પાણી આવવાને કારણે અનેક ગામોમાં પાણી ભરાયા છે. ડેમનું  પાણી રસ્તાઓ પર દેખાચું હતું. નર્મદા ડેમનું જળસ્તર વધવાને કારણે અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચમાં ભારે વરસાદને કારણે લોકો ઘરની બહાર નથી નિકળી શકતા. લોકો સુધી ફૂડ પેકેટ પહોંચાડવા માટે જિલ્લા કલેક્ટર મદદે આવ્યા છે. ભરૂચના કલેક્ટરે પૂરની સ્થિતિમાં ફસાયેલા લોકોને ફૂડ પેકેટ આપવા પહોંચ્યા હતા.      

અનેક લોકોનું કરાયું સ્થળાંતર તો અમુક લોકો ફસાયા વરસાદી પાણીમાં 

હાલ ભાદરવો મહિનો ચાલી રહ્યો છે. ભાદરવો ભરપૂર એવું આપણે ત્યાં કહેવાય છે.ઓગસ્ટ મહિનામાં વરસાદે ખેડૂતોની ચિંતા વધારી હતી પરંતુ સપ્ટેમ્બર મહિનાએ ખેડૂતોની ચિંતા ઘટાડી છે. સપ્ટેમ્બર મહિનામાં મેહુલો મન મૂકીને વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે. ડેમો પાણીથી છલોછલ ભરાયા છે. નર્મદા ડેમ એટલે કે સરદાર સરોવર ડેમ પણ પોતાની મહત્તમ જળસપાટી પર પહોંચ્યો છે. ડેમમાં પાણીની આવક થતાં અનેક ગામોને એલર્ટ કરાયા છે. અનેક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. ભરૂચમાં પણ અત્યંત ભયાનક સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ત્યારે ભરૂચમાં પણ વરસાદે તબાહી મચાવી છે.     


જિલ્લા કલેક્ટરે કર્યું ફૂડ પેકેટનું વિતરણ

ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. આવનારા દિવસો દરમિયાન વરસાદી માહોલ યથાવત રહી શકે છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદી પાણી ભરાવવાને કારણે લોકો ઘરની બહાર નિકળી નથી શકતા. ત્યારે લોકો સુધી જમવાનું પહોંચે તે માટે ફૂડ પેકેટ વહેંચવામાં આવી રહ્યા છે. ભરૂચમાં જિલ્લા કલેક્ટરે વરસાદથી પ્રભાવિત લોકોને ફૂડ પેકેટ આપ્યા હતા. રાહત કાર્ય માટે કલેક્ટર મદદે આવ્યા હતા. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.