રાજ્યના 104 તાલુકામાં મેઘો મંડાણો, આગામી 5 દિવસ થશે મેઘ મહેર, આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેંજ અને યલો એલર્ટ


  • Published By :
  • Published Date : 2023-09-08 20:34:18

રાજ્યમાં ફરી એક વખત મેઘો મંડાતા સર્વત્ર ખુશીનો માહોલ છે, લાંબા વિરામ બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોના શ્વાસમાં શ્વાસ આવ્યો છે. આ સાથે જ રાજ્યની પીવાના પાણીની સમસ્યા પણ દૂર થઈ ગઈ છે. રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા 12 કલાકમાં રાજ્યના 104 તાલુકામાં વરસાદ થયો છે. રાજ્યના 5 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડના કપરાડામાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા હવમાન વિભાગ દ્વારા પણ આજથી આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ વરસાદની સંભાવના  છે. ઉપરાંત દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં  વરસાદ વરસી શકે છે.


રાજ્યના આ જિલ્લામાં થઈ મેઘ મહેર


છેલ્લા 12 કલાકમાં રાજ્યના 104 તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યાં જ રાજ્યના 5 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડના કપરાડામાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ડાંગના સુબિર, આહવામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ધરમપુર, ઉચ્છલમાં 2.5 ઈંચ વરસાદ. માંગરોળમાં 2 ઈંચ, વાંસદા, વઘઈ, સોનગઢ, ચીખલીમાં 1.5 ઈંચ વરસાદ કાબક્યો છે. મહેસાણા,મહીસાગર,વલસાડ, બનાસકાંઠા,અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. મહેસાણા શહેરમાં વરસાદી માહોલ છવાતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી.


આગામી બે દિવસ અતિભારે વરસાદ 


આગામી બે દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે આવતી કાલે સુરત,નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થઇ શકે છે, જ્યારે વડોદરા, દાહોદ અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં ભાર વરસાદ પડી શકે છે. આજે પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસ્યો છે.


આ જિલ્લામાં વરસાદનું ઓરેંજ અને યલો એલર્ટ


રાજ્ય હવમાન વિભાગ દ્વારા નવસારી, ડાંગ, તાપીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત સુરત અને નર્મદા, દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, વડોદરા,  છોટાઉદેપુર, દાહોદમાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.