દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી. અનેક લોકોનું કરાયું સ્થાળાંતર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 10:52:17

દેશભરમાં વરસાદી માહોલ જામ્યા છે. દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયા કિનારે વસતા રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત મધ્ય પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં પણ મેઘરાજા વરસી શકે છે. ભારે વરસાદને કારણે તેલંગાણા, કેરળમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 

નદી કિનારે વસતા લોકોનું કરાયું સ્થાળાંતર

ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીની આવક થઈ છે. નદીઓની જળસપાટી ભયજનક સ્થિતિએ પહોંચતા અનેક ગામડાને ખાલી કરવામાં આવી રહ્યા છે.  સ્થાનિક લોકોને બીજી જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે. તેલંગાણા, કેરળ સહિત અનેક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જાનહાની ન થાય તે માટે લોકોનું રેસ્ક્યું કરવામાં આવી રહ્યું છે.

Indian Army Carries Out Relief and Rescue Operations in Flood-Hit Areas of  Madhya Pradesh; Evacuates Over 700 People | The Weather Channel

વરસાદે  સર્જી તારાજી  

વાવાઝોડાને કારણે અનેક મકાનોને પણ ભારે નુકાન થયું છે. ભારે પવન ફૂંકાતા અનેક ઝાડ ધરાશાઈ થયા છે. કેરળમાં પણ ચક્રવાતે ભારે નુકસાન કર્યુ છે. વીજળી પડવાને કારણે અનેક લોકોના મોત પણ થઈ રહ્યા છે. વીજળી પડવાની ઘટનાને કારણે એલર્ટ આપી દેવામાં આવ્યું છે. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજળી કનેક્શન ખોરવાઈ ગયા છે. લોકોના જીવ બચાવવાનો તંત્ર પણ પ્રયાસ કરી રહી છે. 



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.