અમદાવાદમાં ધોધમાર વરસાદની થઈ શરૂઆત, આ વિસ્તારોના વાતાવરણમાં આવ્યો પલટો!


  • Published By :
  • Published Date : 2023-05-26 19:03:32

કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે. એસજી હાઈવે, બોડકદેવ, વેજલપુર, ચાંદખેડા સહિત અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. મહત્વનું છે કે 28 અને 29મે માટે વરસાદની આગાહી કરવામાં આવી હતી. પ્રહલાદનગર, સરખેજ, બોપાલ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ ખાતે આઈપીએલની મેચ રમાઈ રહી છે. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાવાની છે. ત્યારે આ વરસાદને કારણે મેચમાં વિધ્ન આવી શકે છે. આગામી ત્રણ કલાક સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.      

 

કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાની કરાઈ આગાહી!

ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર તારીખ 28 મે  અને 29 મેના રોજ લોકસ કન્વેક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટરબન્સને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થશે. રાજકોટ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, અમરેલી, બોટાદ, વડોદરા. ભરૂચના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસી શકે છે. તે સિવાય માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.