રાજ્યમાં આગામી બે દિવસ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદની આગાહી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 16:56:54

આગામી બે દિવસ ભારેથી મધ્યમ વરસાદ માટે તૈયાર થઈ જાઓ. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી બે દિવસ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ થશે. હવામાન વિભાગે 40 કિમીના ઝડપે પવન ફુંકાવવાની પણ સંભાવના વ્યક્ત કરી છે. ત્રણ દિવસ બાદ ફરી વરસાદનું જોર ઘટવાની સંભાવના છે. 


લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં 2 દિવસ ધોધમાર વરસાદ


હવામાન વિભાગની આગાહી મુજબ, વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે. જે મુજબ અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં મધ્યમથી ભારે વરસાદ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. રાજયમાં હવામાન વિભાગે કચ્છમાં પણ અતિભારે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરી છે.


નર્મદા ડેમ 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ 


ઉપરવાસમાં મુશળધાર વરસાદ થતાં નર્મદા ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. નર્મદાની હાલની સપાટી 138.68 મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં 4.73 મિલીયન એકર ફૂટ એટલે કે 5.76 લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. ડેમની સપાટીમાં વધારો થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરૂવારે સવારે એકતાનગર પહોંચીને નર્મદાના નીરના વધામણા કર્યા હતા.




દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.