આ તારીખો દરમિયાન જોવા મળશે મેઘમહેર! સાંભળો વરસાદને લઈ હવામાન વિભાગ, Paresh Goswami અને Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-08-18 16:59:29

ગુજરાતમાં જ્યારે ચોમાસાની શરૂઆત થઈ ત્યારે શરૂઆતના દિવસોમાં સારો વરસાદ વરસ્યો હતો. સિઝનનો અનેક ટકા વરસાદ વરસી ગયો હતો. પરંતુ ઓગસ્ટ મહિનાની શરૂઆત થતાં જ વરસાદે વિરામ લીધો છે. અનેક દિવસોથી વરસાદ નથી વરસી રહ્યો. ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાતે આગાહી કરી છે. વરસાદને કારણે અનેક જળાશયોમાં પાણીની આવક થઈ છે. નર્મદા ડેમની સપાટીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. 


વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી છે આગાહી? 

એક સમય હતો જ્યારે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો પરંતુ હવે તો છુટાછવાયો વરસાદ જ વરસી રહ્યો છે. સારો વરસાદ થવાને કારણે ખેડૂતોમાં ખુશની લાગણી પ્રવર્તિ ઉઠી હતી. પરંતુ હવે તો વરસાદ જ નથી પડી રહ્યો. વરસાદ ન પડવાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. પરંતુ હવામાન વિભાગે જે આગાહી કરી છે તે ખેડૂતોને ખુશી આપે તેવી છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ આગામી 2-3 દિવસ વરસાદ વરસવાની સંભાવના છે. રાજ્યમાં હળવો છુટોછવાયો વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે. આગાહી મુજબ કચ્છ, સૌરાષ્ટ્ર  સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. રવિવાર માટે કરવામાં આવેલી આગાહી મુજબ વલસાડ, છોટા ઉદેપુર, નર્મદામાં વરસાદ વરસી શકે છે.


પરેશ ગોસ્વામીની આગાહી મુજબ આ જગ્યાઓ પર થશે મેઘમહેર  

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે. બંગાળમાં લો પ્રેશર સર્જાવવાને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામી શકે છે. લો પ્રેશર સર્જાવવાને કારણે ગુજરતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 18 તારીખ સુધી વરસાદની સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે વરસાદ પડ્યો ન હતો પરંતુ હવે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે જેને કારણે વરસાદ વરસી શકે છે તેવી આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે. 19,20 તેમજ 21 ઓગસ્ટના રોજ વરસાદી માહોલ જામી શકે છે. આ તારીખો દરમિયાન છોટા ઉદેપુર, દાહોદ, ગોધરા તેમજ  મહિસાગરમાં વરસાદ ખાબકી શકે છે. તે સિવાય અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ જામી શકે છે. 

આ તારીખો દરમિયાન થશે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી 

વરસાદને લઈ અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે.  અંબાલાલ પટેલની આગાહી મુજબ કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ વરસી શકે છે તો અમુક વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે. 21 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે તેની આગાહી કરવામાં આવી છે. 30 ઓગસ્ટ આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.  મહત્વનું છે કે વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. ત્યારે હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતોની આગાહી સાંભળી ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!