ભાદરવી પૂનમના મેળાને લઈ ShaktiPeeth Ambajiમાં થતી તડામાર તૈયારી, સાંભળો Gujaratના મુખ્યમંત્રીએ શું પાઠવ્યો માઈભક્તોને સંદેશ


  • Published By :
  • Published Date : 2023-09-20 16:41:20

"બોલ મારી અંબે જય જય અંબે"ના નાદથી અંબાજી તરફ જવા રસ્તાઓ ગુંજી રહ્યા છે. ભાદરવી પૂનમ નિમીત્તે માઈ ભક્તો પગપાળા શક્તિપીઠ અંબાજી મંદિર તરફ જતા હોય છે. શક્તિપીઠ અંબાજીમાં મહા મેળો યોજાવાનો છે. ભાદરવી પૂનમ દરમિયાન યોજાતા મેળામાં ભાગ લેવા દૂર દૂરથી માઈ ભક્તો આવતા હોય છે. લાખોની જનમેદની ઉમટતી હોય છે. ભાદરવી પૂનમને લઈ શક્તિપીઠ અંબાજી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સવારની આરતી 6.00થી 6.30 કલાકે, 6.30થી 11.30 કલાક, રાજભોગના દર્શન બપોરે 12 વાગ્યે થશે. બપોરે 12.30થી 5.0 કલાક દરમિયાન દર્શનનો સમય રહેશે. સાંજની આરતી 7.00થી 7.30 કલાક સુધીનો છે.    

લોકમેળાને લઈ કરાયું વિશેષ આયોજન 

ભાદરવી પૂનમને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અનેક જગ્યાઓથી પગપાળા સંઘો શક્તિપીઠ અંબાજી તરફ જતા હોય છે. 23થી 29 સપ્ટેમ્બર 2023 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાતો હોય છે. ભાદરવી પૂનમના દિવસે માઈમંદિરોમાં ભાવિકોની ભીડ ઉમટતી હોય છે. ખાસ કરીને શક્તિપીઠોમાં મોટી સંખ્યામાં  જનમેદની જોવા મળતી હોય છે. ભાદરવી પૂનમનો મેળો ગુજરાતમાં યોજાતા લોકમેળાઓમાનો એક પ્રખ્યાત લોકમેળો છે. લોકમેળાને લઈને મંદિર તરફથી પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મેળા દરમિયાન  ભક્તોના  ઘસારાને ધ્યાનમાં રાખી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

23થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાનો છે મહામેળો 

શક્તિપીઠોમાં દર્શન કરવાનો મહત્વ તો અનેરો હોય છે. પરંતુ જો તે દર્શન પૂનમના દિવસે અથવા તો નવરાત્રી દરમિયાન કરવામાં આવે તો તેનો મહિમા વિશેષ થઈ જાય છે તેવું ભક્તો સામાન્ય રીતે માનતા હોય છે. નવરાત્રી દરમિયાન માતાજીના મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ ઉમટતી હોય છે. ત્યારે ભાદરવી પૂનમ દરમિયાન ગુજરાતમાં આવેલા શક્તિપીઠ અંબાજીમાં મેળો ભરાય છે. 23થી 29 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મેળામાં મોટી સંખ્યામાં લોકો આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અનેક શ્રદ્ધાળુઓ પગપાળા સંઘ પણ કાઢતા હોય છે. દૂર દૂરથી સંઘ માતાજીના મંદિરે પહોંચતા હોય છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ એક વીડિયો સંદેશ બહાર માઈ ભક્તો માટે પાઠવ્યો છે.  

 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!