ભારે કરી! દ્વારકા પોલીસ સ્ટેશનમાંથી જ ગઠિયો પોલીસ વાહન હંકારી ગયો, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-12-28 21:18:15

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંભાળવાની જવાબદારી જેમના શિરે છે તે પોલીસ પોતાના વાહનની જ સુરક્ષા ન કરી શકે ત્યારે શું કહેવું? દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસનું નાક કપાય તેવી ઘટના બની છે. દ્વારકા પોલિસ મથકના કમ્પાઉન્ડમાં રહેલ પોલીસની જ બોલેરો કારની ચોરી કરી એક અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. આ સમાચાર સામે આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની જબરદસ્ત ફજેતી થઈ છે. હવે લોકોમાં સવાલ એ થઈ રહ્યો છે કે આ પોલીસ પ્રજાનું શું રક્ષણ કરશે?


કઈ રીતે ચોરાઈ? 


દેવભૂમિ દ્વારકા જિલ્લાના  દ્વારકા પોલિસ મથક ના કમ્પાઉન્ડમાં રહેલ પોલીસ ની જ બોલેરો કારની ચોરી કરી એક અજાણ્યો ઈસમ ભાગી છૂટ્યો હતો  દ્વારકા પોલીસ મથક માંથી જ પોલીસની ગાડી ચોરીની ચોંકાવનારી ઘટના બની હતી અહીં પોલીસની ઝબકતી લાઈટો વાળી ગાડી લઈને એક શખ્સ ભાગ્યો હતો. દ્વારકા જિલ્લા.પોલીસ દ્વારા ગાડી અને આરોપી ને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી હતી દ્વારકાથી પોલીસની જ ગાડી ચોરી થયા બાદ આ ગાડી દ્વારકા થી નજીક આવેલ કુરંગા ટોલ અને બાદમાં ખંભાળિયા ટોલ નાકા પરથી પસાર થઈ હતી અને જામનગર તરફ જતી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું ત્યારે દ્વારકા જિલ્લા SOG અને જામનગર જિલ્લા LCBની ટિમ દ્વારા બોલેરો કારને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી હતી તમામ રસ્તાઓ પર નાકાબંધી કરી હતી. 


કોણ છે ચોર?


જામનગર પોલીસે બોલેરો સાથે ચોર વિરપાલસિંહ ભૂપતસિંહ જાડેજા (રહે. ખંઢેરા, કાલાવાડ)ને ઝડપી લઈ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર વિરપાલસિંહના મોબાઈલ ફોનમાંથી દ્વારકા જિલ્લા પોલીસની બોલેરો જીપ સાથેની રાત અને સવારના પાડેલી બે સેલ્ફી ફોટો (Selfie Photo) મળી આવ્યા છે. આરોપી નશાની આદતવાળો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. પોલીસે તેની પૂછપરછ કરી ચોરી કરવાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.




ગઈકાલે બ્રિટેનમાં સત્તા પરિવર્તન થઈ.. ઋષિ સુનકની પાર્ટીની હાર થઈ અને લેબર પાર્ટીનો વિજય થયો. ત્યારે આજે ઈરાનમાં થયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું છે.. ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતથી હરાવ્યા હતા. એટલે હવે ઈરાનમાં સૂદ પેઝેશ્કિયન રાજ જોવા મળવાનો છે..

પ્રેમમાં પાગલ અનેક લોકો હોય છે. પ્રેમીઓ એક બીજાના વિચારોમાં જ ખોવાયેલા દેખાતા હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના.

ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થઈ ગઈ છે જે બાદ જલ્દી જ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે તેવી સંભાવના છે. ગઈકાલે કારોબારી બેઠક દરમિયાન સી.આર.પાટિલે પોતાના ભાષણમાં ઘણા એવા મુદ્દા પર વાત કરી જે ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી બાદ ફરી એક વાર સી.આર.પાટિલે ક્ષત્રિય સમાજને યાદ કર્યો છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ પર આપેલા નિવેદનને લઈ ગત 2 જુલાઈના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામ- સામે પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ હવે રાહુલ ગાંધી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવી રહ્યા છે.