યુપી-બિહારમાં કાળઝાળ ગરમી અને લૂનો કહેર, 4 દિવસમાં 117 લોકોના મોતથી હાહાકાર


  • Published By :
  • Published Date : 2023-06-20 17:25:24

ઉત્તર પ્રદેશ અને બિહારમાં છેલ્લા 4 દિવસમાં ગરમીના કારણે મોતનો આંકડો 100ના આંકડાને વટાવીને 117ને પાર થઈ ગયો છે, આટલા મોટા પ્રમાણમાં લોકોના મોતથી હોબાળો મચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીના કારણે મોટી સંખ્યામાં લોકો બીમાર પડી રહ્યા છે. લૂથી બિમાર લોકો માટે હોસ્પિટલોમાં અલગ હીટસ્ટ્રોક વોર્ડ બનાવવામાં આવ્યા છે.


બલિયામાં લૂનો કહેર યથાવત 


યુપીના બલિયામાં ભયાનક લૂનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લા હોસ્પિટલમાં વધુ  14 દર્દીઓ ગરમીથી સંબંધિત બિમારીઓને કારણે મૃત્યુ પામ્યા છે, 15 જૂનથી અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 68 થઈ ગયો છે.


CM યોગી આદિત્યનાથે તંત્રને આપ્યા આદેશ


સરકાર દ્વારા નિયુક્ત કમિટીએ બાંસડીહ અને ગરવાર બ્લોકના ગામોની મુલાકાત લીધી હતી, જ્યાંથી સૌથી વધુ જાનહાનિ નોંધાઈ હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને બીમાર પડેલા લોકોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા અને પીવાના પાણી અને વીજળીનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.



સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને અવકાશમાંથી પરત લાવવાનું મિશન નાસાએ ફરી એકવાર રદ કરી દીધું છે . કેમ કે રોકેટના ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મની હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી .

વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઇન લેવિટે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ભારત પર ટેરિફને લઇને કર્યા આકરા પ્રહાર. અમેરિકાએ તેના જ સહયોગી દેશોની સામે ટ્રેડ વોર શરુ કરી દીધું છે . તો જાણો ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપાર વિશે.

દક્ષિણ ગુજરાતથી ધડાધડ મેસેજ આવ્યા કે લાઈટ ગઈ છે. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં એકસાથે લાઈટ ગઈ. મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ અને મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસમાં પહોંચી ગયા હતા. જો કે હવે ટોરેન્ટ અને DGCVLએ 100 ટકા પૂરવઠો પૂર્વવત કરી દીધો છે.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ૧૯૪૮થી જ હિંસક આંદોલનો થઈ રહ્યા છે , જાણો કેવી રીતે તેને પાકિસ્તાન સાથે જોડી દેવાયું અને હવે કેમ ત્યાં હિંસક આંદોલનો થઈ રહ્યા છે?