આવનાર દિવસમાં વધશે ગરમીનું પ્રમાણ, અમદાવાદ માટે યેલો એલર્ટ કરાયું છે જાહેર


  • Published By :
  • Published Date : 2023-04-10 16:08:04

માર્ચના મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ઉનાળાના સમય દરમિયાન વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. માવઠાને કારણે અનેક વખત વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી. ત્યારે આવનાર દિવસોમાં તાપમાનનો પારો વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આવનાર દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદીઓ માટે એએમસીએ લોકોને સલાહ આપી છે. કામ વગર ઘરની બહાર ન નીકળવું, તેમજ પાણીનો વધારો ઉપયોગ કરવો. 


યેલો એલર્ટ કરાયું જાહેર 

રાજ્યમાં થોડા દિવસો બાદ ગરમીનો પ્રકોપ જોવા મળવાનો છે. તાપમાનનો પારો આવનાર દિવસોમાં વધી શકે છે. ગરમીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે મુજબ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીનો પારો 41 ડિગ્રી આસપાસ નોંધાયો હતો.10 શહેરોમાં 38 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું હતું. પાટણમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ નોંધાયું હતું.


આવનાર સમયમાં નોંધાઈ શકે છે 44 ડિગ્રી તાપમાન 

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાનો છે. રવિવારે અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાયું હતું, 18 એપ્રિલ બાદ કાળઝાળ ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 44 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો નોંધાવાનો છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવ્યું છે.      


કાળઝાળ ગરમી બાદ આવશે કમોસમી વરસાદ!

જો રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 40.2 ડિગ્રી, વડોદરામાં 40 ડિગ્રી, ભુજમાં 39.4, કેશોદમાં 38.7, રાજકોટમાં 38.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી બે દિવસ ગરમીનું જોર વધશે. ગરમી બાદ ફરી એક વખત માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. 11 એપ્રિલથી 3 દિવસ માટે કમોસમી વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 11 એપ્રિલે કચ્છમાં માવઠું આવશ, 12 તારીખે 8 જિલ્લાઓમાં માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. ઉપરાંત 13 એપ્રિલે 11 જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!