આવનાર દિવસમાં વધશે ગરમીનું પ્રમાણ, અમદાવાદ માટે યેલો એલર્ટ કરાયું છે જાહેર


  • Published By :
  • Published Date : 2023-04-10 16:08:04

માર્ચના મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ઉનાળાના સમય દરમિયાન વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. માવઠાને કારણે અનેક વખત વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી. ત્યારે આવનાર દિવસોમાં તાપમાનનો પારો વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આવનાર દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદીઓ માટે એએમસીએ લોકોને સલાહ આપી છે. કામ વગર ઘરની બહાર ન નીકળવું, તેમજ પાણીનો વધારો ઉપયોગ કરવો. 


યેલો એલર્ટ કરાયું જાહેર 

રાજ્યમાં થોડા દિવસો બાદ ગરમીનો પ્રકોપ જોવા મળવાનો છે. તાપમાનનો પારો આવનાર દિવસોમાં વધી શકે છે. ગરમીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે મુજબ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીનો પારો 41 ડિગ્રી આસપાસ નોંધાયો હતો.10 શહેરોમાં 38 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું હતું. પાટણમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ નોંધાયું હતું.


આવનાર સમયમાં નોંધાઈ શકે છે 44 ડિગ્રી તાપમાન 

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાનો છે. રવિવારે અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાયું હતું, 18 એપ્રિલ બાદ કાળઝાળ ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 44 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો નોંધાવાનો છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવ્યું છે.      


કાળઝાળ ગરમી બાદ આવશે કમોસમી વરસાદ!

જો રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 40.2 ડિગ્રી, વડોદરામાં 40 ડિગ્રી, ભુજમાં 39.4, કેશોદમાં 38.7, રાજકોટમાં 38.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી બે દિવસ ગરમીનું જોર વધશે. ગરમી બાદ ફરી એક વખત માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. 11 એપ્રિલથી 3 દિવસ માટે કમોસમી વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 11 એપ્રિલે કચ્છમાં માવઠું આવશ, 12 તારીખે 8 જિલ્લાઓમાં માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. ઉપરાંત 13 એપ્રિલે 11 જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.