Gujaratમાં જોવા મળશે ગરમીનો પ્રકોપ! આ તારીખો બાદ વધશે ગરમીનો પારો, જાણો હવામાનને લઈ શું કરાઈ છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-04-16 12:23:04

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી રાજકારણનું તાપમાન ગરમ છે તો બીજી તરફ હવામાનના તાપમાનમાં ઘટાડો આવ્યો છે. રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ઠંડક પ્રસરી હતી અને ગરમીથી રાહત મળી હતી. પરંતુ આ બધા વચ્ચે એવી આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધારે સહન કરવો પડશે... રાજ્યના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે...


માવઠાને કારણે ખેડૂતોને આવે છે રડવાનો વારો 

રાજકારણમાં જેમ રાજનેતા ગમે ત્યારે પક્ષપલટો કરી રહ્યા છે તેવી રીતે ગુજરાતનું હવામાન પણ ગમે ત્યારે બદલાઈ રહ્યું છે. શિયાળામાં પણ કમોસમી વરસાદ આવી રહ્યો છે તો કાળઝાળ ગરમી વચ્ચે પણ માવઠું આવી રહ્યું છે અને જગતના તાતને રડાવી જઈ રહ્યું છે... શિયાળામાં આવેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ ખરાબ થઈ હતી ત્યારે ઉનાળામાં આવતા વરસાદને કારણે કેરીના પાક પર અસર પડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કમોસમી વરસાદને કારણે આપણને તો ગરમીથી રાહત મળે છે પરંતુ ખેડૂતોની સ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે...


આવનાર દિવસોમાં વધશે ગરમીનું પ્રમાણ

આ બધા વચ્ચે ગુજરાતમાં થોડા દિવસોથી અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.. જ્યારે માવઠાની આગાહી કરવામાં આવી હતી ત્યારે તે વખતે ગરમીની આગાહી પણ સાથે સાથે કરાઈ હતી. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે. તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી જશે...



અંબાલાલ પટેલે ગરમીને લઈ કરી આ આગાહી

તાપમાનનો પારો વધશે તે અંગેની આગાહી હવામાન  નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.  તેમની આગાહી અનુસાર 16 એપ્રિલ બાદ ગુજરાતમાં ગરમીનો કહેર જોવા મળશે. તાપમાનની વાત કરતા તેમણે કહ્યું કે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા તથા આણંદ સહિતના અનેક જિલ્લાઓનું તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે. તે સિવાય 18 એપ્રિલે કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. 



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.