Gujaratમાં જોવા મળશે ગરમીનો પ્રકોપ! આ તારીખો બાદ વધશે ગરમીનો પારો, જાણો હવામાનને લઈ શું કરાઈ છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-04-16 12:23:04

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી રાજકારણનું તાપમાન ગરમ છે તો બીજી તરફ હવામાનના તાપમાનમાં ઘટાડો આવ્યો છે. રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ઠંડક પ્રસરી હતી અને ગરમીથી રાહત મળી હતી. પરંતુ આ બધા વચ્ચે એવી આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધારે સહન કરવો પડશે... રાજ્યના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે...


માવઠાને કારણે ખેડૂતોને આવે છે રડવાનો વારો 

રાજકારણમાં જેમ રાજનેતા ગમે ત્યારે પક્ષપલટો કરી રહ્યા છે તેવી રીતે ગુજરાતનું હવામાન પણ ગમે ત્યારે બદલાઈ રહ્યું છે. શિયાળામાં પણ કમોસમી વરસાદ આવી રહ્યો છે તો કાળઝાળ ગરમી વચ્ચે પણ માવઠું આવી રહ્યું છે અને જગતના તાતને રડાવી જઈ રહ્યું છે... શિયાળામાં આવેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ ખરાબ થઈ હતી ત્યારે ઉનાળામાં આવતા વરસાદને કારણે કેરીના પાક પર અસર પડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કમોસમી વરસાદને કારણે આપણને તો ગરમીથી રાહત મળે છે પરંતુ ખેડૂતોની સ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે...


આવનાર દિવસોમાં વધશે ગરમીનું પ્રમાણ

આ બધા વચ્ચે ગુજરાતમાં થોડા દિવસોથી અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.. જ્યારે માવઠાની આગાહી કરવામાં આવી હતી ત્યારે તે વખતે ગરમીની આગાહી પણ સાથે સાથે કરાઈ હતી. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે. તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી જશે...



અંબાલાલ પટેલે ગરમીને લઈ કરી આ આગાહી

તાપમાનનો પારો વધશે તે અંગેની આગાહી હવામાન  નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.  તેમની આગાહી અનુસાર 16 એપ્રિલ બાદ ગુજરાતમાં ગરમીનો કહેર જોવા મળશે. તાપમાનની વાત કરતા તેમણે કહ્યું કે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા તથા આણંદ સહિતના અનેક જિલ્લાઓનું તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે. તે સિવાય 18 એપ્રિલે કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.