મોરબી દુર્ઘટના:યશ અને રાજના પાછા આવવાની રાહ જોઈ રહેલ "ટોમી"ને ખબર નથી કે આ બન્ને ભાઈ પાછા ક્યારેય નહિ આવે


  • Published By :
  • Published Date : 2022-11-02 16:12:20

મોરબી બ્રિજ અકસ્માતે અનેક પરિવારોને જીવનભરની પીડા આપી
બ્રિજ અકસ્માતમાં બે માસુમ ભાઈઓ રાજ-યશના પણ મોત થયા છે
બંને ભાઈઓની રાહ જોતા પાલતુ કૂતરાએ ખાવા-પીવાનું બંધ કર્યું


m2.

ગઈકાલ સુધી ઘરમાં બંને ભાઈઓની રોનક આજે માતમમાં ફેરવાઈ ગઈ છે. જ્યારે તેમનો મિત્ર ટોમી ઉદાસ થઈને એક બાજુ બેઠો છે. તેની સામે બિસ્કિટ પડ્યા છે પણ તેણે બે દિવસથી કંઈ ખાધું નથી. તે યશ અને રાજના પાછા આવવાની રાહ જોઈ રહ્યો છે જે તેની સાથે રમતા હતા અને તેને ખૂબ પ્રેમ કરતા હતા.


બે ભાઈઓ અને તેમનો વહાલો ડોગ, આ ત્રણેય આખા વિસ્તારમાં પ્રખ્યાત હતા, પરંતુ રવિવારે મોરબીના પુલ અકસ્માતે તેમને કાયમ માટે અલગ કરી દીધા. અકસ્માતમાં બંને ભાઈઓના મોત થયા હતા. મૃત્યુના સમાચાર સાંભળતા જ ઘરમાં ગમગીની છવાઈ ગઈ. ગઈકાલ સુધી ઘરમાં બંને ભાઈઓની રોનક આજે માતમમાં ફેરવાઈ ગઈ છે. જ્યારે તેમનો મિત્ર ટોમી ઉદાસ થઈને એક બાજુ બેઠો છે. તેની સામે બિસ્કિટ પડ્યા છે પણ તેણે બે દિવસથી કંઈ ખાધું નથી. તે યશ અને રાજના પાછા આવવાની રાહ જોઈ રહ્યો છે જે તેની સાથે રમતા હતા અને તેને ખૂબ પ્રેમ કરતા હતા.


બંને ભાઈઓ હંમેશા સાથે રહેતા

રાજના પિતા રાયધનભાઈ રડે છે, 'અમે બરબાદ થઈ ગયા છીએ.' આખા મહોલ્લામાં બંને ભાઈઓની ચર્ચા થતી રહેતી. બંને ભાઈઓની સાથે સાથે સારા મિત્રો હતા અને હંમેશા સાથે રહેતા હતા. એટલું જ નહીં, મોત પણ તેમને એકસાથે આવ્યું. રાજ અને યશના મોતથી પડોશીઓ પણ શોકમાં છે. ઉલ્લેખનીય છે કે, 30 ઓક્ટોબરની સાંજે મોરબીમાં મચ્છુ નદીનો ઝૂલતો પુલ એકાએક તૂટી પડતા 135 લોકોના મોત થયા છે. જેમાં રાજ અને યશનો પણ સમાવેશ થાય છે.



કંઈપણ ખાતો-પીતો નથી

રાજ અને યશના મોતના સમાચાર મળતા જ પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. માતા-પિતાની હાલત ખરાબ છે, જ્યારે તેમના મિત્ર પણ ઘરનું વાતાવરણ જોઈને પરેશાન છે. તે કદાચ કંઈ બોલી શકતો નથી, પરંતુ તેને ખ્યાલ છે કે કંઈક ખોટું છે. તે એક બાજુ મૌન છે અને બે દિવસથી તેણે કંઈ ખાધું-પીધું નથી. તે રાજ અને યશના પાછા ફરવાની રાહ જુએ છે, તે હકીકતથી અજાણ છે કે તેની રાહ ક્યારેય સમાપ્ત નહીં થાય.


યશના પાછા આવવાની જોવાતી રાહ

રાજના પિતાએ કહ્યું, 'ડોગે છેલ્લા બે દિવસથી કંઈ ખાધું નથી. તે યશના પાછા ફરવાની રાહ જોઈ રહ્યો છે. તે તેણે ખવડાવતો હતો. અમે તેને બિસ્કિટ આપ્યા પરંતુ તે આમ જ પડ્યા છે. ઘરની બહાર બે ખુરશીઓ પર રાજ અને યશની તસવીરને માળા પહેરાવવામાં આવી છે. સમગ્ર વિસ્તાર આવીને તેમને શ્રદ્ધાંજલિ આપી અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. બંને ભાઈઓ અવારનવાર મચ્છુ નદીમાં તરવા જતા હતા.



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.