રાજ્યમાં કાતિલ ઠંડીમાં હ્રદય રોગના કેસ વધ્યા, હાર્ટ એટેકના કેસમાં 28%નો વધારો


  • Published By :
  • Published Date : 2023-01-28 16:13:57

રાજ્યમાં એક તરફ લોકો હાંડ થીજાવી દેતી ઠંડીથી લોકો પરેશાન છે ત્યારે હ્રદય રોગના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાકાળ બાદ રાજ્યમાં હાર્ટ એટેકના કેસમાં 28% નો ચિંતાજનક વધારો નોંધાયો છે. રાજ્યમાં ગાત્રો થીજાવી દેતી ઠંડીના કારણે હાર્ટ એટેકના કેસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હોવાનું તબીબોનું માનવું છે. ડોક્ટરો પણ લોકોને કાતિલ ઠંડીમાં સાવધાની રાખવાની સલાહ આપી રહ્યા છે.


ઈમરજન્સી કોલ્સ વધ્યા


રાજ્યની ઈમરજન્સી EMRI 108 એમ્બ્યુલન્સ દ્વારા હેન્ડલ કરાયેલા હેલ્થ ડિસ્ટ્રેસ કૉલ્સ અનુસાર, અમદાવાદમાં ડિસેમ્બર અને જાન્યુઆરીના બે મહિનામાં હાર્ટ સંબંધિત ઇમરજન્સી કેસમાં 38%નો વધારો જોવા મળ્યો છે. સમગ્ર રાજ્યમાં 28% ની વૃધ્ધી નોંધાઈ છે.


અમદાવાદમાં હાર્ટ એટેકના 3,211 કેસ 


શિયાળાની કાતિલ ઠંડીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ સિઝનમાં જ હાર્ટ એટેકના કેસ પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અમદાવાદમાં જ 1 ડિસેમ્બર, 2021થી 25 જાન્યુઆરી, 2022 સુધીના 2,330 કેસોની તુલનાએ આ શિયાળાની સિઝનમાં 3,211 કેસ નોંધાયા છે. જેમાં 38% નો વધારો નોંધાયો છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં છેલ્લાં 2 મહિનામાં જ હાર્ટ એટેકના કેસમાં 7,973થી 10,207 સુધી એટલે કે 28%નો વધારો નોંધાયો છે. એટલે કે ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન, EMRI 108ને દર આઠ મિનિટે ઈમરજન્સી કોલ મળ્યા હતા.


ડોક્ટરોની સલાહ શું છે?


રાજ્યમાં વધેલા હાર્ટ એટેકના કેસ અંગે ડોક્ટરો પણ લોકોને વધુ સાવધાની રાખવાની સલાહ આપી રહ્યા છે. અચાનક જ આવતા હાર્ટ એટેક કે મૃત્યુનો સામનો ન કરવો પડે તે માટે ડોક્ટરો પણ લોકોને સલાહ આપી રહ્યા છે. અગ્રણી હાર્ટ સર્જનોના જણાવ્યા પ્રમાણે કાતિલ ઠંડીમાં સ્વસ્થ લોકોની ધમનીઓ પણ સંકોચાઈ શકે છે, તેથી લોકોએ વહેલી સવારે ચાલવાની કે અન્ય કસરત ટાળવી જોઈએ. તબીબો સૂર્યોદય બાદ જ કસરત કરવાની ભલામણ કરે છે. જે લોકોને કોરોના થઈ ગયો છે અને જે લોકોની ઉંમર 30 વર્ષથી વધારે છે તે લોકોએ Exercise Treadmill Checkup કરાવવું જોઈએ. આ સાથે જ બ્લડના રિપોર્ટ, બ્લડ પ્રેશરનો રિપોર્ટ અને કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવી લેવો જોઈએ. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.