રાજ્યમાં કાતિલ ઠંડીમાં હ્રદય રોગના કેસ વધ્યા, હાર્ટ એટેકના કેસમાં 28%નો વધારો


  • Published By :
  • Published Date : 2023-01-28 16:13:57

રાજ્યમાં એક તરફ લોકો હાંડ થીજાવી દેતી ઠંડીથી લોકો પરેશાન છે ત્યારે હ્રદય રોગના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાકાળ બાદ રાજ્યમાં હાર્ટ એટેકના કેસમાં 28% નો ચિંતાજનક વધારો નોંધાયો છે. રાજ્યમાં ગાત્રો થીજાવી દેતી ઠંડીના કારણે હાર્ટ એટેકના કેસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હોવાનું તબીબોનું માનવું છે. ડોક્ટરો પણ લોકોને કાતિલ ઠંડીમાં સાવધાની રાખવાની સલાહ આપી રહ્યા છે.


ઈમરજન્સી કોલ્સ વધ્યા


રાજ્યની ઈમરજન્સી EMRI 108 એમ્બ્યુલન્સ દ્વારા હેન્ડલ કરાયેલા હેલ્થ ડિસ્ટ્રેસ કૉલ્સ અનુસાર, અમદાવાદમાં ડિસેમ્બર અને જાન્યુઆરીના બે મહિનામાં હાર્ટ સંબંધિત ઇમરજન્સી કેસમાં 38%નો વધારો જોવા મળ્યો છે. સમગ્ર રાજ્યમાં 28% ની વૃધ્ધી નોંધાઈ છે.


અમદાવાદમાં હાર્ટ એટેકના 3,211 કેસ 


શિયાળાની કાતિલ ઠંડીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ સિઝનમાં જ હાર્ટ એટેકના કેસ પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અમદાવાદમાં જ 1 ડિસેમ્બર, 2021થી 25 જાન્યુઆરી, 2022 સુધીના 2,330 કેસોની તુલનાએ આ શિયાળાની સિઝનમાં 3,211 કેસ નોંધાયા છે. જેમાં 38% નો વધારો નોંધાયો છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં છેલ્લાં 2 મહિનામાં જ હાર્ટ એટેકના કેસમાં 7,973થી 10,207 સુધી એટલે કે 28%નો વધારો નોંધાયો છે. એટલે કે ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન, EMRI 108ને દર આઠ મિનિટે ઈમરજન્સી કોલ મળ્યા હતા.


ડોક્ટરોની સલાહ શું છે?


રાજ્યમાં વધેલા હાર્ટ એટેકના કેસ અંગે ડોક્ટરો પણ લોકોને વધુ સાવધાની રાખવાની સલાહ આપી રહ્યા છે. અચાનક જ આવતા હાર્ટ એટેક કે મૃત્યુનો સામનો ન કરવો પડે તે માટે ડોક્ટરો પણ લોકોને સલાહ આપી રહ્યા છે. અગ્રણી હાર્ટ સર્જનોના જણાવ્યા પ્રમાણે કાતિલ ઠંડીમાં સ્વસ્થ લોકોની ધમનીઓ પણ સંકોચાઈ શકે છે, તેથી લોકોએ વહેલી સવારે ચાલવાની કે અન્ય કસરત ટાળવી જોઈએ. તબીબો સૂર્યોદય બાદ જ કસરત કરવાની ભલામણ કરે છે. જે લોકોને કોરોના થઈ ગયો છે અને જે લોકોની ઉંમર 30 વર્ષથી વધારે છે તે લોકોએ Exercise Treadmill Checkup કરાવવું જોઈએ. આ સાથે જ બ્લડના રિપોર્ટ, બ્લડ પ્રેશરનો રિપોર્ટ અને કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવી લેવો જોઈએ. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!