હાર્ટ એટેકે લીધો યુવાનનો ભોગ! સાફો બાંધતી વખતે બગડી વરરાજાની તબિયત, નીચે પડ્યો પરંતુ ફરી ન ઉઠી શક્યો, ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો


  • Published By :
  • Published Date : 2023-05-31 16:56:54

કોરોના મહામારી બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. કોઈ જીમમાં કસરત કરતી વખતે તો કોઈ ડાન્સ કરતી વખતે હાર્ટ એટેક આવવાને કારણે મોતને ભેટી રહ્યા છે. વચ્ચે એક એવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં સીબીએસસીમાં દીકરાના સારા માર્ક્સ આવવાની ખુશી માતા માટે જીવલેણ સાબિત થઈ હતી. ત્યારે ઉત્તરપ્રદેશથી એક સમાચાર આવ્યા જેમાં તૈયાર થઈ રહેલા વરરાજાને હાર્ટ એટેક આવ્યો. પરિવારના સભ્યો વરરાજાને હોસ્પિટલ પણ લઈ ગયા પરંતુ તેનો જીવ બચી શક્યો ન હતો. 


ડાન્સ કરતા કરતા કાકાને આવ્યો હતો એટેક!

કાળને કોઈ જાણી શકતું નથી. મોત ક્યારે આવશે તેની જાણ કોઈને હોતી નથી. અણધારી રીતે લોકો દુનિયાથી વિદાય લઈ રહ્યા છે. હાર્ટ એટેક આવવાના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અનેક લોકોના મોત હૃદયહુમલાને કારણે થઈ રહ્યા છે. અનેક કિસ્સાઓ જે સામે આવ્યા છે તેમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ જાય છે. થોડા સમય પહેલા છત્તીસગઢના બોલોદથી એક ઘટના સામે આવી હતી જેમાં ભત્રીજીના લગ્નમાં નાચતા કાકા ડાન્સ કરતા કરતા મોતને વ્હાલા થઈ ગયા. સ્ટેજ પર બેઠા અને અચાનક ઢળી પડ્યા. તપાસ બાદ જાણ થઈ કે હાર્ટ એટેક આવવાને કારણે તેમનું મોત થયું હતું. તે સિવાય કોઈ યોગા કરતા કરતા, કોઈ ક્રિકેટ રમતા રમતા મોતને ભેટી રહ્યા છે. 


જાન માટે તૈયાર થતાં વરરાજાને આવ્યો હાર્ટ એટેક!

ત્યારે એક ઘટના સામે આવી છે જેમાં જાન માટે તૈયાર થઈ રહેલા વરરાજાનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બહરાઈચના અટવા ગામની 29મેની છે. જાન જવાની તૈયારી થઈ રહી હતી. વરરાજા તૈયાર થઈ રહ્યા હતા. વરરાજાએ દુલ્હાના કપડા પણ પહેરી રહ્યા હતા અને તે દરમિયાન તેમની તબિયત બગડી અને તે નીચે પડી ગયા. હોસ્પિટલ પણ તેમને ખસેડવામાં આવ્યા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત ઘોષિત કરી દીધા હતા. ડોક્ટરે જણાવ્યું કે રાજકમલનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. ખુશીની ક્ષણ માતમમાં ફેરવાઈ ગઈ હતી.      

    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.