Heart Attackએ ગુજરાતીઓની ચિંતા વધારી! 14 વર્ષના છોકરાને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલ પહોંચે તે પહેલા....


  • Published By :
  • Published Date : 2023-11-07 13:54:08

હાર્ટ એટેકના સમાચાર પ્રતિદિન સામે આવી રહ્યા છે. કોઈ વખત 19 વર્ષીય છોકરાનું મોત હાર્ટ એટેકને કારણે થાય તો કોઈ વખત 10 વર્ષની બાળકીનું મોત હાર્ટ એટેકને કારણે થાય. પહેલા વૃદ્ધોને હાર્ટ એટેક આવતો એવું માનતા, કોરોના બાદ એવું માનવા લાગ્યા કે યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે પરંતુ હવે તો પરિસ્થિતિ એકદમ બદલાઈ ગઈ છે કારણે બાળકોને હાર્ટ એટેક આવી રહ્યો છે. કચ્છના ગાંધીધામમાં 14 વર્ષીય છોકરાનો ભોગ હાર્ટ એટેકે લીધો છે. તે ઉપરાંત સુરતમાં પણ હાર્ટ એટેકનો એક કિસ્સો સામે આવ્યો છે.

 કેનેડામાં બિલ્ડિંગથી કૂદીને હૈદ્રાબાદના વિદ્યાર્થીનું મોત, પરિવારે સરકારને  કરી આ અપીલ | World News in Gujarati

14 વર્ષના કિશોરનું હાર્ટ એટેકને કારણે થયું મોત 

ગુજરાતના યુવાનો પર હાર્ટ એટેકનું સંકટ તોળાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પ્રતિદિન એવા માઠા સમાચાર સામે આવે છે જેમાં હૃદયહુમલાને કારણે કોઈને કોઈ વ્યક્તિનું મોત થઈ ગયું હોય. રોજે હાર્ટ એટેકના એક બે કિસ્સાઓ તો આવી જ રહ્યા છે. યુવાનો તો હૃદયહુમલાનો શિકાર બની રહ્યા છે પરંતુ બાળકો પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. થોડા દિવસો પહેલા એક વિદ્યાર્થિનીનું મોત પરીક્ષા આપતી વખતે હાર્ટ એટેકને કારણે થયું હતું  ત્યારે આજે કચ્છમાં 14 વર્ષના બાળકને હાર્ટ એટેક આવ્યો  અને જીવ જતો રહ્યો. મળતી માહિતી અનુસાર બાળકને હોસ્પિટલ લઈ જવાઈ રહ્યો હતો તે દરમિયાન જ, રસ્તામાં જ કિશોરે દુનિયાને અલવિદા કહી દીધું.   


સુરતમાં પણ હાર્ટ એટેકને કારણે એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ!

હાર્ટ એટેકનો બીજો એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 66 વર્ષીય રત્નકલાકાર હીરા ઘસી રહ્યા હતા અને અચાનક ઢળી પડ્યા, અને તેમનું મોત થઈ ગયું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. મોતનું અસલી કારણ શું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સામે આવશે, પરંતુ હાલ તેમનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવું પ્રાથમિક દ્રષ્ટીએ લાગી રહ્યું છે.



હાર્ટ એટેકને લઈ મોરારી બાપુએ આપ્યું નિવેદન 

યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે સરકારની ચિંતા વધી છે. કમિટીની રચના કરવામાં આવી છે જે આની પાછળના કારણો શોધશે. ત્યારે કથાકાર મોરારી બાપુએ યુવાનોને તાળી પાડવાની સલાહ આપી છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે તાળી પાડો અને રામનું નામ લો એટલે હાર્ટ એટેક નહીં આવે. આનો તર્ક આપતા તેમણે કહ્યું કે તાળી પાડવાથી બંધ નળીઓ ખુલી જશે અને હાર્ટ એટેક નહીં આવે. જૂના જમાનામાં ઋષિ મુનિઓ તાળી પાડીને ભજનો કરતા હતા. તેમને ક્યારેય હાર્ટ એટેક આવતા ન હતા. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!