નવરાત્રીમાં ખેલૈયાનોની સુરક્ષા માટે રાજકોટ સિવિલમાં તૈયાર કરાયો હાર્ટ-એટેકનો વોર્ડ, ઇમર્જન્સી સર્જરી માટે સ્ટાફ રહેશે હાજર


  • Published By :
  • Published Date : 2023-10-04 20:57:39

કોરોના કાળ બાદ રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક હદે વધ્યા છે, તેમાં પણ યુવાનો હાર્ટ એટેકનો ભોગ સૌથી વધુ બની રહ્યા છે. ક્રિકેટ રમતા, વ્યાયામ કરતા કે પછી સામાજીક પ્રસંગમાં ડાન્સ કરતો યુવાન અચાનક જ પછડાઈને પ્રાણ ગુમાવતો હોવાનોની ઘટના અવારનવાર સામે આવી છે. જો કે આ બાબતની ગંભીર નોંધ લઈ રાજકોટ સિવિલે અનોખી પહેલ કરી છે. નવરાત્રી દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાર્ટ-એટેક માટે ખાસ વોર્ડ ઊભો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


ખલૈયાઓની રક્ષા માટે રાજકોટ સિવિલની પહેલ 


યુવક-યુવતીઓનો ખૂબ જ પ્રિય એવો નવરાત્રિ મહોત્સવ નજીક આવતાં ગરબા રમતા યુવાનોનાં હાર્ટ-એટેકના કિસ્સામાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં લઇને રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા ત્વરિત સારવાર માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ માટે હોસ્ટિપલમાં એક અલાયદો વોર્ડ તૈયાર કરાયો છે. સિવિલ હોસ્પિટલમાં નવરાત્રીના નવ દિવસ દરમિયાન હાર્ટ એટેકના સંભવિત દર્દીઓની સારવાર માટે ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં 50 બેડ હશે. જેમાં 20 મહિલા અને 20 પુરુષો માટે તેમજ 10 બેડ હાર્ટ એટેકેની ગંભીર ઇમરન્જસી સર્જરી માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ વોર્ડમાં નવરાત્રી દરમિયાન રાત્રે ડોક્ટરની ખાસ ટીમ પણ હાજર રહેશે. દવાઓ, ઇન્જેક્શન સહિતની તમામ વ્યવસ્થા આ વોર્ડમાં ઉભી કરવામાં આવી છે.


50 બેડનો સ્પેશિયલ વોર્ડ


રાજકોટ રાજકોટ સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડન્ટે આર.એસ ત્રિવેદી એ આ અંગે જણાવ્યું હતું કે તાજેતરમાં રાજકોટમાં સામે આવેલા બનાવોને લઈને સિવિલ હોસ્પિટલ સજ્જ છે તેમજ બદલાયેલી લાઇફસ્ટાઇલ હાર્ટ-એટેકના વધતા બનાવો માટે કારણ હોવાની આશંકા પણ તેમણે વ્યક્ત કરી હતી.વધુમાં તેમણે જણાવ્યું હતું કે નવરાત્રી પર સિવિલ હોસ્પિટલમાં હૃદય રોગ માટે ખાસ વોર્ડ તૈયાર, 50 બેડનો સ્પેશિયલ વોર્ડ કરાયો તૈયાર કરવામાં આવશે. જેમાં વોર્ડમાં 1 કાર્ડિયોલોજિસ્ટ, 4 મેડિસિન વિભાગના ડોક્ટર તેમજ 2 મનોચિકિત્સક અને 2 કાઉન્સિલર રહેશે તૈનાત, 24 કલાક રહેશે સ્ટાફ તૈનાત ખાસ કરી રાત્રિના નવ વાગ્યાથી 1 વાગ્યા સુધી સતત સ્ટાફ ખડે પગે રહેશે. રાજકોટમાં હાર્ટ-એટેકથી યુવાનોનાં મોત સિવિલ સુપરિન્ટેન્ડન્ટ આર. એસ. ત્રિવેદીના જણાવ્યા મુજબ, કોરોના બાદ ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ-એટેકના બનાવો વધ્યા એ ચિંતાનો વિષય છે, જેમાં રાજ્યમાંથી ગરબા રમતાં-રમતાં અથવા ગરબા રમ્યા બાદ યુવાનનાં હાર્ટ-એટેકથી મોત થયાના બનાવો પણ સામે આવ્યા છે. આવા બનાવો રાજકોટમાં પણ સામે આવતાં નવરાત્રિ આયોજકોએ મારી મુલાકાત લીધી હતી અને પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવના આયોજકો દ્વારા રજૂઆત કરાઈ છે કે તેમના નવરાત્રિ ઉત્સવના સ્થળે ડોકટર નર્સ સહિતના સ્ટાફ ઉપરાંત એમ્બ્યુલન્સો મૂકવામાં આવે, જેથી કરી કોઈપણ ગરબા ખલૈયાની તબિયત ખરાબ જણાઈ તો તત્કાળ તે ડોકટરની ટીમ પાસેથી સારવાર લઈ શકીએ. આ પ્રકારની રજુઆત બાદ હોસ્પિટલે અંતે સ્પેશિયલ વોર્ડ ઉભો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!