યુવાનો માટે જોખમરૂપ બનતો Heart Attack! Suratમાં બે લોકોએ Heart Attackને કારણે ગુમાવ્યો જીવ


  • Published By :
  • Published Date : 2023-10-12 15:17:02

એક દિવસ એવો નથી જતો જ્યારે હાર્ટ એટેકના સમાચારો સામે ન આવતા હોય. લોકો હાર્ટ એટેકને કારણે મોતને ન ભેટતા હોય. માત્ર થોડા દિવસોની અંદર જ અનેક લોકોના જીવ ગયા છે. થોડા દિવસો પહેલા 13 વર્ષીય બાળકનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું તે જ દિવસે 18 વર્ષીય દીકરીનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું છે. ત્યારે આજે ફરી બે લોકોના મોત હૃદય હુમલાને કારણે થયા છે. સુરતથી બે લોકોના મોત થયા છે તેવા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં 35 વર્ષીય યુવકનું મોત અને બીજા કિસ્સામાં 42 વર્ષીય વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.

Two people died of heart attack in Surat, 35 and 41-year-old youth died સુરતમાં હાર્ટ એટેકથી બે લોકોના મોત, 35 અને 41 વર્ષીય યુવકનાં થયા મોત

થોડા દિવસોમાં જ અનેક યુવાનો બન્યા છે હાર્ટ એટેકનો ભોગ 

દિવસેને દિવસે હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે. પ્રતિદિન કોઈને કોઈ વ્યક્તિ મોતને ભેટે છે અને એ પણ હાર્ટ એટેકને કારણે. અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેને કારણે ચિંતામાં વધારો થયો છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે ડોક્ટરોમાં પણ આ એક ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા થોડા સમયની અંદર જ ઘણા બધા કિસ્સાઓ છે. ત્યારે વધુ બે કિસ્સા હાર્ટ એટેકના સુરતથી સામે આવ્યા છે. 



24 કલાકમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હાર્ટ એટેકને કારણે 

સુરતના વેસુ વિસ્તારમાં કલરકામ કરતા યુવાનને અચાનક છાતીમાં દુખાવો થયો અને તેનું મોત નિપજ્યું. યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેની પહેલા જ તેમણે દેહ છોડી દીધો હતો. પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. તે ઉપરાંત ઓલપાડામાં 42 વર્ષીય વ્યક્તિનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. 24 કલાકમાં બે વ્યક્તિના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. મહત્વનું છે કે આની પહેલા રાજકોટથી જ અનેક લોકોના મોત થયા છે. થોડા દિવસોની અંદર જ બહુ બધા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 



ગરબા ગ્રાઉન્ડ પર તૈનાત રહેશે મેડિકલ ટીમ 

થોડા દિવસ પહેલા 13 વર્ષીય બાળકનું મોત થયું છે. જામનગરનો વતની અને મુંબઈમાં અભ્યાસ કરતો હતો. યોગા કરતા કરતા તેનું મોત થઈ ગયું હતું, પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. તે સિવાય એ જ દિવસે 18 વર્ષીય દીકરીએ પ્રાણ હાર્ટ એટેકને કારણે ગુમાવ્યો છે. તે પહેલા પણ ગરબા રમતા રમતા એક યુવકનું મોત થઈ ગયું હતું. કોરોના બાદ તો આવા કિસ્સાઓ દરરોજ સામે આવી રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેક યુવાનોને ભરખી રહ્યો છે. યુવાનોમાં વધતા હાર્ટ એટકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી ગરબા આયોજકોએ પણ વિશેષ આયોજન કર્યું છે. ગરબા ગ્રાઉન્ડ પર ડોક્ટરની ટીમ તૈનાત રહેશે તેવી વાત કરવામાં આવી છે. એએમએ દ્વારા પણ ઉપરાંત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે.     




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!