મહિલા અનામત બિલનો તાત્કાલિક અમલ કરવાની માગ કરતી અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી, જાણો કોકડું ક્યાં ગુંચવાયું છે?


  • Published By :
  • Published Date : 2024-01-22 16:01:53

સુપ્રીમ કોર્ટ આજે સોમવારે (22 જાન્યુઆરી)ના રોજ લોકસભા ચૂંટણી પહેલા મહિલા આરક્ષણ બિલના તાત્કાલિક અમલની માગ કરતી અરજી પર સુનાવણી કરશે. આ અરજી કોંગ્રેસના નેતા જયા ઠાકુરે દાખલ કરી છે. કેસ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચમાં લિસ્ટેડ છે. આ કેસની સુનાવણી બીજી વખત શરૂ થઈ રહી છે. ગત સુનાવણીમાં કેન્દ્ર સરકાર તરફથી કોઈ વકીલ હાજર નહોતા, તેથી સુનાવણી સ્થગિત કરી દેવામાં આવી હતી.  ઉલ્લેખનિય છે કે નારી શક્તિ વંદન કાયદો 20 સપ્ટેમ્બર ના રોજ લોકસભા અને 21 સપ્ટેમ્બર 2023ના રોજ રાજ્ય સભામાં પસાર થયું હતું.


અગાઉ સુપ્રીમે કર્યો હતો ઈન્કાર


સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2023ના રોજ આ મામલે નોટિસ આપવાનો ઈન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે નારી શક્તિ વંદન બિલ 2023ની જોગવાઈઓને રદ્દ કરવી ખૂબ મુશ્કેલ હશે. કેમ કે તે મહિલાઓ માટે 33 ટકા અનામત આપે છે. જ્યાં સુધી જનગણના અને પરિસીમનની કવાયત પુરી નથી થતી, બિલ અમલી બનશે નહીં.  


દેશમાં મહિલાઓની અડધી વસ્તી પણ ચૂંટણીમાં ભાગીદારી માત્ર 4 ટકા


અરજીકર્તાએ કહ્યું કે રિઝર્વેશન બિલ લાગુ કરવા માટે વસ્તી ગણતરી અને પરિસીમનની કોઈ જરૂર નથી, કેમ કે સીટોની સંખ્યા પહેલેથી જ જાહેર થઈ ચૂકી છે. આ સુધારો વર્તમાન સીટો માટે 33 ટકા અનામત આપે છે. આપણા દેશમાં તે માનવામાં આવે છે કે 50 ટકા વસ્તી મહિલાઓની છે, પરંતુ ચૂંટણીઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર 4 ટકા જ છે.  


27 વર્ષ બાદ પાસ થયું હતું બિલ


મોદી સરકારે નવી સંસદની પહેલી કાર્યવાહીમાં સપ્ટેમ્બર 2023માં 'નારી શક્તિ વંદન બિલ' રજુ કરવામાં આવ્યું હતું. મહિલા અનામત પસાર કરવા માટે છેલ્લા 27 વર્ષમાં વર્તમાન સરકાર સહિત 4 સરકારોએ 11મો પ્રયાસ હતો. આ બિલ પસાર થયા બાદ પણ તે ક્યારે પસાર થશે તે અંગે કોકડું ગુંચવાયું છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.