સુપ્રીમ કૉર્ટમાં અસલી શિવસેના મામલે આજે સુનાવણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 10:22:46

સુપ્રીમ કોર્ટમાં આજે "અસલી શિવસેના કોની?" તે મામલે સુનાવણી થશે જેનું સીધું પ્રસારણ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠ મહારાષ્ટ્રમાં શિવસેના પર ચાલી રહેલા વિવાદ મામલે સુનાવણી કરશે. 


ન્યાયમૂર્તિ ચંદ્રચૂડની અધ્યક્ષતામાં સુનાવણી 

ન્યાયમૂર્તિ ડી. વાઈ. ચંદ્રચૂડની અધ્યક્ષતાની બંધારણીય પીઠ મહારાષ્ટ્રના રાજનૈતિક સંકટ મામલે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે ગ્રુપની અરજી પર સુનાવણી કરશે. ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે ગ્રુપને પાર્ટી પરનો અધિકાર સાબિત કરવા માટે માટે સમય આપ્યો હતો. તે સમય પણ આજના દિવસે પૂરો થઈ રહ્યો છે. ઉદ્ધવ ગ્રુપ આજે ચૂંટણી પંચને સબૂત રજૂ કરશે. 


શિંદે ગ્રુપના દાવા બાદ ઉદ્ધવને સબૂત રજૂ કરવા હુકમ

એકનાથ શિંદે ગ્રુપે દાવો કર્યો છે કે તેમની પાસે શિવસેનાના 40થી વધુ ધારાસભ્યો છે. માટે એકનાથ શિંદેના ગ્રુપને અસલી શિવસેનાનો હક મળવો જોઈએ. આ મામલે શિંદે ગ્રુપે ચૂંટણી પંચમાં અરજી પણ આપી છે. શિંદે ગ્રુપના આ દાવા પર ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેને શિવસેના તેની છે તે મામલે સબૂત રજૂ કરવા જણાવ્યું હતું.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે