ચાઈનીઝ દોરી અંગે હાઈકોર્ટમાં હાથ ધરાઈ સુનાવણી, સરકારની કોર્ટે કાઢી ઝાટકણી


  • Published By :
  • Published Date : 2023-01-07 15:33:47

ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે. પતંગ ચગાવવા ઉપયોગમાં આવતી ચાઈનીઝ દોરીને કારણે અનેક લોકોના મોત પણ થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થાય છે. ત્યારે ચાઈનીઝ દોરી અંગે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી . આ સુનાવણીમાં કોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે અને લોકોમાં ચાઈનીઝ દોરી અંગે જાગૃતતા લાવવા આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે જેમ ચૂંટણીમાં પ્રચાર કરવામાં આવે છે તેવી રીતે આ અંગે પર પણ લોકોમાં જાગૃતતા લાવવા પ્રયાસ કરવો જોઈએ.  

ઉત્તરાયણ પહેલાં બજારોમાં રોનક: પતંગ દોરી ખરીદવા લોકોની ભીડ ઉમટી, 40 કરોડ  સુધીના વેપારની આશા


ચાઈનીઝ દોરીને લઈ કોર્ટમાં થઈ સુનાવણી 

અનેક લોકો પોતાનો પતંગ ન કપાય તે માટે ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ કોઈ લોકોની મજા બીજા માટે સજા સાબિત થતી હોય છે. આ દોરીને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે ઉત્તરાયણ પર્વ શરૂ થાય તે પહેલા જ એવા અનેક બનાવો સામે આવ્યા છે જેમાં લોકો મોતને ભેટ્યા છે. હાઈકોર્ટમાં ઉત્તરાયણ પર ચાઈનીઝ દોરી સહિતની વસ્તુઓ પર પ્રતિબંધને લઈ સુનાવણી કરવામાં આવી હતી. 

ગુજરાત વડી અદાલત - વિકિપીડિયા


બીજી વખત સોગંદનામું કોર્ટમાં રજૂ કરાયું 

આ મુદ્દાને લઈ સરકારે હાઈકોર્ટમાં ગઈકાલે સૌગંદનામુ રજૂ કર્યું હતું, પરંતુ સરકાર દ્વારા રજૂ કરાયેલા સોગંદનામાથી હાઈકોર્ટ નારાજ થઈ હતી. કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારનું સોગંદનામું વિશ્વાસ અપાવે તેવા નથી. નવેસરથી સોગંદનામુ રજૂ કરવા આદેશ આપ્યો હતો. જેને પગલે સરકારે આજે સોગંદનામુ કોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું. આ સોગંદનામા બાદ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. 


જામનગરની બજારમાં દોરા અને પતંગની ભાવ વધારાભણી ઉડાન - Sanj Samachar


લોકોમાં જાગૃતતા લાવવા સરકારને કરાયો આદેશ 

ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પરંતુ અનેક સ્થળો પર ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તો પણ અનેક સ્થળો પર વેચાણ ચાલુ જ છે. કોર્ટે સરકારની ઝાટકણી કરતા લોકોમાં ચાઈનીઝ દોરીથી થતા નુકસાન અંગે માહિતગાર તેમજ જાગૃત્તા લાવવા આદેશ આપ્યો છે. 


ચૂંટણીમાં જેમ પ્રચાર થાય તેવો પ્રચાર કરવા આદેશ   

સરકારને કોર્ટે કહ્યું છે કે ચૂંટણીમાં જે રીતે  પ્રચાર કરવામાં આવે છે તે રીતે આ અંગે લોકોમાં જાગૃતતા લાવા પ્રચાર કરવામાં આવે. ગુજરાતમાં ચાઈનીઝ દોરીના ઉપયોગને કારણે લોકોના જીવને જોખમ રહેતું હોય છે. આ અંગે લોકોને માહિતગાર કરવા સૂચન આપ્યું છે.  વધુમાં કોર્ટે કહ્યું કે જરૂર પડે તો ન્યુઝ ચેનલ તેમજ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને ચાઈનીઝ દોરીના ઉપયોગને અટકાવવા પ્રયાસ કરવા કહ્યું છે અને જો જરૂર પડે તો જાગૃત્તા પ્રચાર માટે રિક્ષાઓમાં જાહેરાત કરાવો.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.