શ્રીકૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ વિવાદ મામલે મથુરા કોર્ટમાં હાથ ધરાઈ સુનાવણી


  • Published By :
  • Published Date : 2022-12-24 17:06:45

શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદને લઈ મથુરા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મથુરાના સિવિલ જજે શાહી ઈદગાહ મામલે સર્વે કરાવાનો આદેશ આપ્યો છે. આદેશ આપી 20 જાન્યુઆરી સુધીમાં ઈદગાહ વિવાદિત સ્થળ પરિસરનો સર્વેક્ષણ રિપોર્ટ કોર્ટને સોંપવાના છે.


12 જાન્યુઆરીએ હાથ ધરાશે સુનાવણી  

હિન્દુ પક્ષ દ્વારા કરવામાં આવેલી અપીલ પર આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.મથુરાના સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટે શાહી ઈદગાહના સર્વેનો આદેશ આપ્યો છે. વકીલ શૈલેષ દુબેએ જણાવ્યું હતું કે હિંદુ સેના તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પણ આ આદેશ કરવામાં આવ્યો છે. આ  રિપોર્ટ 20 જાન્યુઆરી સુધીમાં સબમિટ કરાવાનો છે. આ કેસની આગળની સુનાવણી 12 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. 


શું છે સમગ્ર મામલો ?

આ અરજી કોર્ટમાં એટલા માટે દાખલ કરવામાં આવી હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે શ્રીકૃષ્ણ જન્મસ્થળની 13.37 એકર જમીન મુક્ત કરાવામાં આવે. આ અરજીને ધ્યાનમાં રાખી સિવિલ જજ સીનિયર ડિવિઝનની કોર્ટે હિન્દુ સેનાના દાવા પર શાહી ઈદગાહ મસ્જિદનો અમીન સર્વે કરાવવાનો આદેશ આપ્યો છે. અને આ રીપોર્ટ 20 જાન્યુઆરી સુધીમાં સબમીટ કરાવાનો રહેશે. અરજી દાખલ કરનારે એવો દાવો કર્યો હતો કે શ્રીકૃષ્ણ જન્મભૂમિની 13.37 એકર જમીન પર મંદિર તોડીને ઓરંગઝેબે ઈદગાહ તૈયાર કરાવી હતી.          




Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.

એક સમય ભારતીય જનતા પાર્ટીમાં એવો હતો કે સંજય જોશીને તમે હેપ્પી બર્થડે કહો તો તમને ટિકિટ મળતી . પરંતુ હવે સંજય જોશીને હેપી બર્થડે કહેવાથી તમારી હકાલપટ્ટી થાય છે. હજી પણ સંગઠનમાં સંજય જોશીનું નામ લેવું આટલું ખતરનાક ગણાય છે . કેમ કે થોડાક સમય પેહલા થયું એવું કે , જિલ્લો બોટાદ તેનો તાલુકો ગઢડા . ગઢડા તાલુકા ભાજપ પ્રમુખે સંજય જોશીને સોશ્યિલ મીડિયા પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ હવે તેમની પર રાજીનામુ આપી દેવાનું દબાણ ઉભું થયું છે. થોડાક સમય પેહલા સંજય જોશી ગુજરાત આવ્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .