સરકારે માંગ સ્વિકારતા આરોગ્ય કર્મચારીઓની હડતાળનો અંત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 20:06:29

રાજ્યમાં ચુંટણી નજીક છે ત્યારે વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓએ તેમની માંગણીને લઈ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. સરકારે પણ આ નારાજ કર્મચારીઓને મનાવવા માટે પાંચ મંત્રીઓની કમિટી બનાવી છે. મંગળવારે પંચાયત હસ્તકના વર્ગ 3 ના કર્મચારીઓની માંગણીઓ સરકારે સ્વિકારી લેતા હડતાળનો અંત આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. એક મહિનામાં તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંહેધરી આરોગ્યમંત્રી સહિત કમિટીએ આપી દીધી છે.આજે રાજ્ય સરકારના પંચાયત વિભાગ હસ્તકના વિવિધ સંવર્ગના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ચાલી રહેલી હડતાળ તેઓના એસોસિએશન દ્વારા તાત્કાલિક પરત ખેચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  જો કે આરોગ્ય કર્મચારી મહાસંઘે આ અંગે ચેતવણી આપી છે કે એક મહિનામાં પ્રશ્નનો ઉકેલ નહી આવે તો આંદોલન યથાવત્ત રહેશે.


રાજ્ય સરકાર દ્વારા રચાયેલી મંત્રીઓની કમિટીનાં સભ્ય જીતુ વાઘાણી, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી બ્રિજેશ મેરજા, નિમીષા સુથાર તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં મોટાભાગની માંગણીઓ સ્વીકારવામાં આવી છે અને અન્ય કેટલાક મુદ્દાઓ સંદર્ભે આગામી એક માસમાં યોગ્ય નિર્ણય લેવાશે એવી સહમતિ થતા હડતાળ પાછી લેવાનો નિર્ણય કરાયો હતો. 


આરોગ્યકર્મીઓની માંગણી શું હતી?

લાંબા સમયથી પડતર ગ્રેડ પે સહિતના મુદ્દાઓનો ઉકેલ લાવવાની માંગ 

2017, 2019 અને 2021માં કર્મચારીઓની માંગણીઓ મુદ્દે હડતાળ 

સરકારનાં અગાઉના આશ્વાસનોનો અમલ થયો ન હોવાથી રોષ

ગ્રેડ પે 1900 થી વધારીને 2800 કરવાની આરોગ્ય કર્મચારીઓની માંગ

કોવિડ કાળ દરમિયાન કરેલી કામગીરીનું ભથ્થુ આપવા માંગ

આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ પણ આપવા માંગ



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.