સરકારે માંગ સ્વિકારતા આરોગ્ય કર્મચારીઓની હડતાળનો અંત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 20:06:29

રાજ્યમાં ચુંટણી નજીક છે ત્યારે વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓએ તેમની માંગણીને લઈ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. સરકારે પણ આ નારાજ કર્મચારીઓને મનાવવા માટે પાંચ મંત્રીઓની કમિટી બનાવી છે. મંગળવારે પંચાયત હસ્તકના વર્ગ 3 ના કર્મચારીઓની માંગણીઓ સરકારે સ્વિકારી લેતા હડતાળનો અંત આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. એક મહિનામાં તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંહેધરી આરોગ્યમંત્રી સહિત કમિટીએ આપી દીધી છે.આજે રાજ્ય સરકારના પંચાયત વિભાગ હસ્તકના વિવિધ સંવર્ગના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ચાલી રહેલી હડતાળ તેઓના એસોસિએશન દ્વારા તાત્કાલિક પરત ખેચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  જો કે આરોગ્ય કર્મચારી મહાસંઘે આ અંગે ચેતવણી આપી છે કે એક મહિનામાં પ્રશ્નનો ઉકેલ નહી આવે તો આંદોલન યથાવત્ત રહેશે.


રાજ્ય સરકાર દ્વારા રચાયેલી મંત્રીઓની કમિટીનાં સભ્ય જીતુ વાઘાણી, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી બ્રિજેશ મેરજા, નિમીષા સુથાર તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં મોટાભાગની માંગણીઓ સ્વીકારવામાં આવી છે અને અન્ય કેટલાક મુદ્દાઓ સંદર્ભે આગામી એક માસમાં યોગ્ય નિર્ણય લેવાશે એવી સહમતિ થતા હડતાળ પાછી લેવાનો નિર્ણય કરાયો હતો. 


આરોગ્યકર્મીઓની માંગણી શું હતી?

લાંબા સમયથી પડતર ગ્રેડ પે સહિતના મુદ્દાઓનો ઉકેલ લાવવાની માંગ 

2017, 2019 અને 2021માં કર્મચારીઓની માંગણીઓ મુદ્દે હડતાળ 

સરકારનાં અગાઉના આશ્વાસનોનો અમલ થયો ન હોવાથી રોષ

ગ્રેડ પે 1900 થી વધારીને 2800 કરવાની આરોગ્ય કર્મચારીઓની માંગ

કોવિડ કાળ દરમિયાન કરેલી કામગીરીનું ભથ્થુ આપવા માંગ

આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ પણ આપવા માંગ



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.