હવે પંચાયતના આરોગ્ય કર્મચારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો, વિધાનસભા ઘેરાવની આપી ચીમકી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 15:13:57

કર્મચારી આંદોલનો રાજ્યની ભાજપ સરકાર માટે માથાના દુખાવા સમાન બન્યા છે. પોતાની પડતર માગણીને લઈને લગભગ તમામ વિભાગોના કર્મચારીઓએ સરકાર સામે બાયો ચઢાવી છે. તેમાં પણ આરોગ્ય કર્મચારીઓએ તો સરકાર સામે રીતસર મોરચો માડ્યો છે. 8મી ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ હજારોની સંખ્યામાં ગાંધીનગરમાં ઉમટી પડ્યા હતા. આરોગ્ય કર્મચારીઓએ વિધાનસભા ઘેરાવની ચીમકી આપી છે. આરોગ્ય કર્મચારીઓની ચીમકીને પગલે સચિવાલય અને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.


આરોગ્ય કર્મીઓ લડી લેવાના મૂડમાં 


પોતાની પડતર માગણીઓને લઈને સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની બાહેધરી ન મળતા આકરા પાણીએ થયેલા આરોગ્ય કર્મીઓએ આંદોલનને આક્રમક બનાવાની રણનીતિ તૈયાર કરી છે. આરોગ્ય કર્મચારીઓ 15થી 20 સપ્ટેમ્બર સુધી આંદોલન કરશે. આ દરમિયાન હજારો આરોગ્ય કર્મચારીઓ વિધાનસભાનો ઘેરાવ કરશે. પરિવાર સાથે ધરણા પ્રદર્શન કરશે.  રેલી, રસ્તા રોકો આંદોલન તથા પ્રશ્નોનો ઉકેલ ન આવે તો ભૂખ હડતાળ પર પણ ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.  આરોગ્ય કર્મચારીના આક્રમક તેવરને લઈને સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આજે આરોગ્ય કર્મીઓના પ્રદર્શન મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરકાર વાતચીતથી ઉકેલ લાવવા તૈયાર છે.


કોણ કોણ રેલીમાં જોડાયું?


આજે હજારોની સંખ્યામાં પંચાયતના આરોગ્ય કર્મચારીઓ  ગાંધીનગરમાં ઉમટી પડ્યા હતા. ગુજરાતના 33 જિલ્લાના આરોગ્યના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, THS, THV અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર જેવા પંચાયતના આરોગ્યલક્ષી તમામ કર્મી તેમજ ફિલ્ડ કર્મચારીઓ પણ હડતાલમાં જોડાયા છે.



આરોગ્ય કર્મચારીઓની માંગણી શું છે?


પગારમાં વિસંગતતા દૂર કરી ગ્રેડ પેમાં વધારો કરવામાં આવે

આરોગ્ય કર્મચારીઓને ગ્રેડ પે રૂ.1900 થી વધારી રૂ.2800 કરવા માગ

કોવિડ સમયમાં કામ કર્યું તે માટે ભથ્થુ આપવાની માગ 

રવિવાર અને જાહેર રજાના દિવસે કરેલી નોકરીનો પગાર આપવામાં આવે

આરોગ્યકર્મીઓને ફેરણી ભથ્થુ (PTA) આપવામાં આવે



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.