Health : વધતી ગરમીથી આ રીતે કરો પોતાનું અને પરિવારનું રક્ષણ, જાણો લૂ લાગવાના શું છે લક્ષણ અને ઉપાય?


  • Published By :
  • Published Date : 2024-05-20 15:28:54

ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. ગરમીને કારણે લોકો બિમાર પડી રહ્યા છે.. થોડા સમય પહેલા કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે બેવડી ઋતુનો અહેસાસ લોકોને થયો.. કમોસમી વરસાદ બાદ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતના અનેક શહેરોનું તાપમાન 44 ડિગ્રી આસપાસ નોંધાયું છે... હીટવેવની આગાહી અનેક જગ્યાઓ માટે કરવામાં આવી રહી છે.. અતિશય ગરમીને કારણે લોકો બિમાર પડી રહ્યા છે.. 


અનેક જગ્યાઓ માટે કરવામાં આવી છે હિટવેવની આગાહી 

ગરમીને કારણે લૂ પણ લોકોને લાગી રહી છે.. લૂથી કેવી રીતે રક્ષણ મેળવી શકાય તેની જાણકારી અનેક વખત આપવામાં આવતી હોય છે... મે  મહિનામાં કાળઝાળ ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે.. કાળઝાળ ગરમીને કારણે ઈમરજન્સી કોલમાં વધારો જોવા મળી રહ્યો છે.. લોકોની તબિયત અચાનક બગડી રહી છે. અનેક શહેરો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે..


ગરમીથી તેમજ લૂથી બચવા માટે આટલું કરવું જોઈએ જેમાં -

1. તરસ ના લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ..

2. શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ના થાય તે માટે ઓઆરએસ દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીબું પાણી, ભાતનું ઓસામણ અને નારિયેળ પાણીનો ઉપયોગ કરવો..

3. ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકવો જોઈએ..

4. આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવી જોઈએ..

5. પ્રાથમિક સારવારની તાલીમ લેવી જોઈએ..

6. બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિ લૂનો શિકાર ના બને તેનું ધ્યાન રાખવું જોઈએ...  

7.  વરિયાળી, કોથમીર પૂદીનાનું પાણી પણ પી શકાય છે લૂથી બચવા માટે



આ તો  વાત થઈ ગરમીથી બચવા શું ઉપાય કરવા જોઈએ તેની હવે વાત કરીએ શું ના કરવું જોઈએ તેની..


1. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણાં જેવા કે ચા, કોફી, સોફ્ટ ડ્રીંક્સનું સેવન ના કરવું જોઈએ..

2. મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહારને ના ખાવો જોઈએ..

3. શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે તડકામાં ઘરની બહાર ના નીકળવું જોઈએ..


લૂ લાગેલા વ્યક્તિની પ્રાથમિક સારવારની વાત કરીએ તો -

જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરવો અથવા તો માથા પર પાણી રેડવું જોઈએ..

2. શરીરમાં પાણીનું  પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓઆરએસ, લિંબુ શરબતનું પાણી આપવું જોઈએ.

3. લૂ લાગેલા વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય સેન્ટર પર સારવાર માટે લઈ જવો જોઈએ.


લૂ લાગવાના લક્ષણોની વાત કરીએ તો 

શરીરનું તાપમાન સતત વધતું હોય, માથાનો અસહ્ય દુખાવો હોય, નબળાઈ હોય, ઉલ્ટી હોય, હૃદયના ધબકારા વધી જવા.. જો વ્યક્તિ બેભાન થઈ જાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે ખસેડવો જોઈએ..


મહત્વનું છે કે ગરમી અસહ્ય થઈ ગઈ છે.. ગરમીને કારણે લોકો બિમાર પડી રહ્યા છે. ગરમીમાં તમને લૂના લાગે અને તમારા પરિવારના સભ્યને પણ લૂના લાગે તેનું ધ્યાન રાખો..     



સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.