મંત્રી ઋષિકેશ પટેલ કાળઝાળ ગરમીના કારણે પરસેવાથી થયા રેબઝેબ, સભા દરમિયાન ટ્રેક્ટરમાં કૂલર મગાવવું પડ્યું


  • Published By :
  • Published Date : 2023-07-02 17:51:33

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠાના દાંતામાં આવેલા મોટાસડા ગામમાં  પણ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આયોજીત એક કાર્યક્રમમાં ઉપસ્તિથ રહ્યા હતા. આ પ્રસંગે તેમણે સિકલસેલ ડીસીઝના દર્દીઓ અને પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને કાર્ડ અર્પણ કર્યા હતા અને સીક્લસેલ એનિમિયા નાબૂદી મિશન-2047 નો શુભારંભ કરાવ્યો હતો. જોકે આ કાર્યક્રમ માટે આવેલા મંત્રી અસહ્ય ગરમીના સહન કરી શક્યા નહોંતા, અને તેમના માટે ખાસ એક કૂલરની વ્યવસ્થા કરવી પડી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે નરેન્દ્ર મોદીએ શનિવારે મધ્યપ્રદેશથી “રાષ્ટ્રીય સીક્લસેલ એનિમિયા નાબૂદી મિશન- 2047”નો પ્રારંભ કરાવ્યો હતો. દેશના ભાજપ શાસિત રાજ્યોમાં પણ આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. 

  

મંત્રીજી અસહ્ય ગરમી સહન ન કરી શક્યા 


દાંતા તાલુકાના મોટાસડા ગામમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર બેઠેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. તેમની સાથે સ્ટેજ પર બેઠેલા અન્ય નેતાઓને પણ અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા. જે બાદ તાત્કાલિક ટ્રેક્ટર કૂલરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે બાદ ટ્રેક્ટરમાં કૂલર લાવીને સ્ટેજ સામે ચાલુ કરવામાં આવ્યું હતું. કૂલરની ઠંડી હવા સ્ટેજ સુધી પહોંચે તે માટે કાર્યક્રમના સ્ટેજની આસપાસ બાંધવામાં આવેલું કપડું પણ ઊંચું કરી લેવામાં આવ્યું હતું. 


લોકોએ પણ ચાલતી પકડી


પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં આવેલા લોકો માટે કાળઝાળ ગરમીથી રક્ષણ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોંતી. ગરમીથી બચવા ગરમી લોકોએ પણ કાર્યક્રમ છોડીને ચાલતી પકડી હતી. જોકે મંત્રીજી માટે તાત્કાલિક સ્ટેજ પર ઠંડી હવાની વ્યવસ્થા થઈ જતા આ બાબત ચર્ચાનો વિષય બની હતી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.