રાજ્યમાં 27 ડિસેમ્બરથી મોકડ્રીલ અને એરપોર્ટ પર ટેસ્ટિંગ શરૂ કરાશે: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ


  • Published By :
  • Published Date : 2022-12-23 21:01:23

ચીનમાં લાખો લોકોને સંક્રમિત કોરોનાના સબ વેરિયેન્ટ BF.7થી સમગ્ર વિશ્વમાં હાહાકાર છે. હવે દેશ અને ગુજરાતમાં પણ કોરોનાથી ભયનો માહોલ છે. આવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાત સરકાર એલર્ટ મોડમાં કામ કરી રહી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દેશના વિવિધ રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથેની બેઠક યોજી હતી ત્યાર બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે કોરોનાને લઈ સરકારની તૈયારીઓ અંગે વિવિધ માહિતી આપી હતી.


કોરોના અંગે ઋષિકેશ પટેલે શું કહ્યું?


રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, કોરોનાના વિવિધ વેરિયન્ટ અને વિવિધ દેશોમાં જે પ્રમાણે કેસો વધી રહ્યાં છે તે જોતા લાગી રહ્યું છે આપણે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે, જેને લઈ આપણે કેન્દ્ર સરકારની એડવાઈજરીને ફોલા કરવાની રહેશે, એરપોર્ટ જેવા સ્થળો પર આપણે સઘન ટેસ્ટીંગ ચાલું કર્યું છે અને જ્યાં થર્મલ ચેકિંગ ફરજિયાત કરી દીધું છે. આરોગ્ય મંત્રી જણાવ્યું કે, કેન્દ્રની મદદ બાબતે ચર્ચા થઈ છે તેમણે કહ્યું કે, થર્મલ સ્ક્રિનીંગ ફરજીયાત કર્યું છે, અમદાવાદ, સુરત એરપોર્ટ પર ટેસ્ટિંગ માટે વ્યવસ્થાઓ ઉભી કરાઈ રહી છે તેમણે કહ્યું કે, ચીન, દક્ષિણ અમેરિકામાં દેખાતા વેરિએન્ટના 4 કેસ ભારતમાં હતા તેમજ ગુજરાતમા ત્રણ કેસ હતા જે બધા સાજા થઈ ગયા છે. તેમણે જણાવ્યું કે, માસ્ક સોશિયલ ડિસ્ટંસનું પાલન કરવું જોઈએ અને જેમણે પ્રિકોશન ડોઝ નથી લીધા તેઓ લઈ લે અને જલ્દી પ્રિકોશન ડોઝ માટે ખાસ ડ્રાઈવ શરૂ થશે તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર પ્રિકોશન ડોઝ માટે વિશેષ ડ્રાઈવ શરૂ કરશે. તેમણે જણાવ્યું કે, રાજ્યભરમાં 27 ડિસેમ્બરે મોકડ્રીલ કરશુ અને વેંટિલેટર સહીતની મશીનરીની તપાસ થશે તેમજ પીએસએ પ્લાન્ટ મશીનરીની ચકાસણી તાલુક કક્ષાએ થશે.


પ્રમુખસ્વામી મહોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અંગે ચર્ચા


આ બેઠકમાં અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રમુખ સ્વામીનગરમાં હાલમાં લાખોની સંખ્યામાં લોકો દેશ અને વિદેશથી આવી રહ્યા છે. જેથી ભારે ભીડ જોવા મળી રહી છે. તેથી તકેદારીના ભાગ રૂપે ચર્ચામાં કરવામાં આવી હતી.  અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદના કાંકરિયા કાર્નિવલ સહિતના કાર્યક્રમો અંગે આરોગ્યમંત્રીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આવા કાર્યક્રમો અંગે ચર્ચા ચાલી રહી છે. અધિકારીઓ સાથે કાર્યક્રમ કેવી રીતે ક્યાં સમયે કરવો તેની ચર્ચા ચાલી રહી છે. નવા વેરિયન્ટના ફેલાવા અને ઘાતકતા અંગેનો રિપોર્ટ આવ્યો નથી. રિપોર્ટ આવ્યા બાદ જરૂરિયાત મુજબ માર્ગદર્શિકા જાહેર કરાશે.




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!