ગાંધીનગરમાં આંદોલન કરતા આરોગ્યકર્મીઓની પોલીસે કરી અટકાયત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 16:20:24

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યની ભાજપ સરકાર સામે રોજ નવું કર્મચારી આંદોલન ફુટી નિકળે છે. પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ છેલ્લા ઘણા દિવસોથી પોતાની પડતર માગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે. ગઈ કાલે જ સરકારે આ અંગે મોટો નિર્ણય લેતા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓને 4 હજાર રૂપિયાનો ઉચ્ચક પગાર વધારો તથા ટ્રાવેલ્સ એનાઉન્સ અને 130 દિવસનો રજા પગાર પણ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. જોકે તેમ છતાં આરોગ્ય કર્મચારીઓએ આ ભથ્થાનો અસ્વીકાર કરીને હડતાળ ચાલુ રાખી હતી. એવામાં આજે પરમીશન વિના ગાંધીનગર ખાતે એકઠા થયેલા આરોગ્ય કર્મચારીઓની પોલીસે અટકાયત કરી હતી.


આરોગ્યકર્મીઓ સામે સરકારનું આકરૂ વલણ


ગાંધીનગર જિલ્લામાં પોલીસ દ્વારા આરોગ્ય કર્મચારીઓ કે અન્ય કોઈ કર્મચારીઓને રેલી કે ધરણાની મંજૂરી અપાઈ નથી. એવામાં સત્યાગ્રહ છાવણી ખાતે આજે મોટી સંખ્યામાં આરોગ્યકર્મીઓ એકઠા થતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. બીજી તરફ રાજ્ય સરકારે પણ પંચાયત હસ્તકના કર્મચારીઓ સામે આકરૂ વલણ અપનાવતા કડક કાર્યવાહીની વાત કરી છે. સરકારની જાહેરાત બાદ પણ કર્મચારીઓ આંદોલન ચાલુ રાખશે તો આવા કર્મચારીઓ વિરુદ્ધ પગલા લેવાશે. આંદોલનકારી કર્મચારીઓની સર્વિસ અટકાવી પગાર કાપવા સુધીની કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવશે.


આરોગ્ય કર્મચારીઓની કેટલી માંગણી સંતોષાઈ?


1   4 હજારનો માસિક ઉચ્ચક વધારો ચુકવવામાં આવશે.

2 HRA તથા મેડિકલ એલાઉન્સની ચુકવણી કરવામાં આવશે.

3  130 દિવસ કોરોનાના રજા પગારની માંગણી સ્વિકારાશે.

4 PTA (ટ્રાવેલિંગ એલાઉન્સ) ચુકવવા માટે સરકારની તૈયારી.

5  જે કર્મચારીઓ કોરોનામાં સેવા પર હતા તેમને ભથ્થુ ચુકવાશે.

6  ગ્રેડ પે અંગે પણ સરકાર વિચારશે, તે અંગેની કમિટીની રચના કરશે.

7  સરકાર દ્વારા લેવાયેલા તમામ નિર્ણયોનો ઠરવા બે દિવસની અંદર કરાશે.


કઈ માંગણીઓને લઈ કરી રહ્યા છે આંદોલન?


1 ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા કુલ 14 માંગણીઓ મુકાઇ હતી

2 ગ્રેડ પે સહિતના મુદ્દાઓનો ઉકેલ લાવવામાં આવે

3 કર્મચારીઓને ગ્રેડ પે 1900 ના બદલે 2800 રૂપિયા કરવામાં આવે

4 કોવિડ દરિયાન કરવામાં આવેલા કામનું ભથ્થુ ચુકવવામાં આવે

5 ફેરવણી ભથ્થુ (ટ્રાવેલિંગ એલાઉન્સ) ચુકવવામાં આવવું જોઇએ



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.