એક જુલાઈથી HDFC અને HDFC બેંકનું મર્જર અમલી બનશે, જાણો 13 જુલાઈથી શું થશે ફેરફાર


  • Published By :
  • Published Date : 2023-06-27 19:01:25

દેશની સૌથી મોટી ખાનગી HDFC બેંક અને HDFC લિમિટેડના મર્જરની તારીખ જાહેર થઈ ગઈ છે.  HDFC બેંક અને HDFC લિમિટેડનું મર્જર 1 જુલાઈએ થશે. HDFCના ચેરમેન દીપક પારેખે મંગળવારે જાહેરાત કરી હતી કે બંને કંપનીઓના મર્જરની જાહેરાત 1 જુલાઈથી અમલી બનશે. આ સાથે જ શેરબજારમાં લિસ્ટેડ HDFC લિમિટેડના શેરનું ટ્રેડિંગ 13 જુલાઈથી HDFC બેંકના નામે કરવામાં આવશે.


મર્જર પછી તેના ગ્રાહકો પર થશે અસર 


HDFC લિમિટેડ અને HDFC બેંકનું આ મર્જર ભારતમાં તેના પ્રકારનું અનોખું મર્જર છે. આ મર્જર પછી HDFC બેંકનું મૂલ્ય 168 બિલિયન ડોલર (લગભગ 13.77 લાખ કરોડ રૂપિયા) થશે. આ મર્જરથી HDFC ગ્રુપની વીમા કંપનીઓ અને એસેટ મેનેજમેન્ટ કંપનીઓ સિવાય કરોડો લોકોને અસર થશે.આ પછી, HDFC બેંકનો મૂડી આધાર વધશે, જેનો લાભ તેના લોન ગ્રાહકોને ઓછા વ્યાજના રૂપમાં મળી શકશે. HDFC લિમિટેડ દેશની સૌથી મોટી હોમ લોન કંપનીઓમાંની એક છે, મર્જર પછી તેના ગ્રાહકો પણ બેંકના લોન ગ્રાહકો હશે.


HDFCના શેરને શેરબજારમાંથી ડિલિસ્ટ કરાશે


આ સપ્તાહથી HDFC લિમિટેડ અને HDFC બેંકનું જ મર્જર થઈ જશે. બંનેનું મર્જર 1 જુલાઈ 2023થી અમલમાં આવશે. આ માહિતી HDFCના ચેરમેન દીપક પારેખે આપી હતી. તેમણે કહ્યું કે 13 જુલાઈથી હાઉસિંગ ફાઈનાન્સના શેરને શેરબજારમાંથી ડિલિસ્ટ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, જે શેરધારકો પાસે HDFCના શેર છે તેમને તેમના શેરના આધારે HDFC બેંકના શેર આપવામાં આવશે.


બંને કંપનીઓના શેરનું વિભાજન થશે


HDFC બેંક મર્જર માટે HDFC લિમિટેડમાં રાખવામાં આવેલા દરેક 25 શેર માટે 42 નવા શેર ફાળવશે. HDFC બેંકના લગભગ 7,40,000 શેરધારકોને આનો લાભ મળશે. એચડીએફસી લિમિટેડનો પ્રયાસ છે કે શેરની રેકોર્ડ તારીખ એવી રીતે નક્કી કરવામાં આવે કે કિંમતમાં તફાવત બંને કંપનીઓના શેરધારકો સુધી પહોંચાડવામાં આવે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.