5 વર્ષમાં જ ખખડધજ થયેલા હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાનો લેવાયો નિર્ણય, ભ્રષ્ટ અધિકારીઓ સામે થશે કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-04-14 14:14:42

અમદાવાદના ખખડધજ હાટકેશ્વર બ્રિજને આખરે તોડી પાડવામાં આવશે. હાટકેશ્વરના છત્રપતિ શિવાજી બ્રિજ તપાસ દરમિયાન નબળી ગુણવત્તાનો હોવાનું સામે આવતા હવે તેને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 40-45 કરોડના ખર્ચે તૈયાર થયેલો ભ્રષ્ટાચારનો આ બ્રિજ 5 વર્ષ જ જર્જરીત થઈ જતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રિજનું સમારકામ કરવું લગભગ અશક્ય હોવાનું જણાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેને ઉતારી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 


તપાસ બાદ લેવાયો નિર્ણય


હાટકેશ્વર બ્રિજ જર્જરીત થતાં સરકારી તથા ખાનગી એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી હતી. રૂડકી આઈઆઈટી દ્વારા પણ બ્રિજની ગુણવત્તા અંગે તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ રૂડકી IIT દ્વારા બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવા માટે ભલામણ કરવામાં આવી હતી. બ્રિજની ગુણવત્તા શંકાસ્પદ જણાયા બાદ કમિશનર દ્વારા ત્રણ સભ્યોની કમિટી બનાવીને તપાસના આદેશ આપવામાં આવ્યો હતા. જે બાદ આ કમિટીએ તપાસ કરીને રિપોર્ટ કમિશનરને સોંપ્યો હતો. બ્રિજની ગુણવત્તા નબળી હોવાનું સામે આવતા અને તે જોખમી હોવાનું જણાતા હવે તેને તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


બ્રિજ બનાવવામાં વ્યાપક ભ્રષ્ટાચાર 


હાટકેશ્વર બ્રિજ સરકાર માન્ય એજન્સી CIMEC દ્વારા કરાયેલી તપાસમાં પણ બ્રિજની ગુણવત્તા અને તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા મટિરિયલ સામે સવાલ ઉભા કરાયા હતા. જેમાં બ્રિજના સ્પનના ઉપયોગમાં લેવાયેલો કોંક્રીટ શંકાસ્પદ જણાયો હતો. આ રિપોર્ટમાં નિયમ ધોરણ કરતા પણ ઓછી કોંક્રેટ વાપરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ રિપોર્ટમાં કરાયો છે. નિયમ પ્રમાણે ગ્રેડ ફો કોંક્રીટ ઓછામાં ઓછો ત્રણગણો હોવો જોઈએ. જેમાં ટેસ્ટ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તપાસમાં ગ્રેડ ઓફ ક્રોકિટ માત્ર 1.48થી 2.59 મળી આવી હતી. આખરે સપ્ટેમ્બર 2022માં બ્રિજના બન્ને સ્પાનના ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન બ્રિજના ઘણાં ભાગોમાં કોંક્રીટની સ્ટ્રેન્થ નબળી હોવાનું અને ગુણવત્તા શંકાસ્પદ જણાઈ હતી.


ભ્રષ્ટ અધિકારીઓ સામે થશે કાર્યવાહી


હાટકેશ્વર બ્રિજને બનાવવામાં ગેરરિતી આચરનારા મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવામાં આવશે. જવાબદારો સામે પગલા ભરવા અંગે AMC દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. બ્રિજની ગુણવત્તા અને તેને બંધ કરવાના મુદ્દે તપાસ કરવામાં આવી હતી, જેમાં તેની ગુણવત્તા નબળી હોવાનું સામે આવ્યું હતું. 


વર્ષ 2017માં તૈયાર થયો હતો બ્રિજ


હાટકેશ્વર બ્રિજનું નિર્માણનો વર્ક ઓર્ડર મળ્યા બાદ વર્ષ 2015માં કામ શરૂ થયું અને  વર્ષ 2017માં કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજનું નિર્માણ અજય એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. 4 લેનનો બ્રિજ 500 મીટર લાંબો બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજની ડિઝાઈન માટે ડેલ્ફ કંપનીને પ્રોજેક્ટ કોસ્ટના દોઢ ટકા એટલે કે 60 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!