પોલીસ ભરતીને લઈ Hasmukh Patelએ કરી મહત્વપૂર્ણ જાહેરાત, જાણો ક્યારે લેવાશે શારીરિક પરીક્ષા?


  • Published By :
  • Published Date : 2024-05-13 15:41:50

પોલીસ બનવાનું સપનું અનેક યુવાનોને હોય છે. ત્યારે પોલીસ ભરતીને લઈ મોટી અપડેટ સામે આવી છે.. એલઆરડી, પીએમઆઈની ભરતી અંગે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.. PSI અને LRD ભરતીમાં હજુ એકવાર ફોર્મ ભરવા માટે સાઈટ ખુલશે તેવી માહિતી સામે આવી છે... ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આજે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં તેમણે અનેક મુદ્દાઓને લઈ જાણકારી આપી હતી.


આ મહિનામાં યોજાશે શારીરિક કસોટી 

હસમુખ પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી જે મુજબ શારીરિક પરીક્ષા ઓક્ટોબર નવેમ્બર મહિનામાં લેવાનું આયોજન હાલ કરવામાં આવી રહ્યું છે.. તે ઉપરાંત પીએસઆઈ અને એલઆરડી ભરતીમાં હજુ એકવાર ફોર્મ ભરવા માટે સાઈટ ખુલશે.. શારીરિક કસોટી ચોમાસા પછી લેવામાં આવે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.. પીએસઆઈ માટે સાડા ચાર લાખ જેટલી અરજી મળી છે જ્યારે એલઆરડી માટે સાડા નવ લાખ અરજી મળી છે..


પરીક્ષામાં કરવામાં આવ્યા છે મોટા ફેરફાર 

તે સિવાય પરીક્ષાને લઈ પણ માહિતી આપવામાં આવી હતી. લોકરક્ષકમાં બે ભાગમાં એટલે પાર્ટ એ અને પાર્ટ બીની પરીક્ષા આપવાની રહેશે.. આ બંને પરીક્ષામાં ઉમેદવારોએ પાસ થવાનું રહેશે.. ઉમેદવારોએ બંને પરીક્ષામાં 40 ટકા માર્ક મેળવવા ફરજિયાત રહેશે.. તે ઉપરાંત એક મોટો ફેરફાર પરીક્ષામાં કરવામાં આવ્યો છે. ઉમેદવારોનું વજન ધ્યાનમાં લેવાશે નહીં. એવી માહિતી સામે આવી છે કે શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે અને એના કોઈ ગુણ આપવાના રહેશે નહીં.. આ કસોટીમાં પાસ થયેલા ઉમેદવાર આગળની પરીક્ષા આપી શકશે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.