Haryana - 45,000 થી વધુ સ્નાતકો અને અનુસ્નાતકોએ સફાઈ કામદારની નોકરી માટે અરજી કરી! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2024-09-04 14:42:27

એક સમય હતો જ્યારે એવું માનવામાં આવતું કે ભણ્યા બાદ નોકરી મળી જશે.. લોકો ભણતા હતા અને નોકરી મેળવતા હતા.. પરંતુ દિવસેને દિવસે રોજગારી ઘટી રહી છે અને બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે. ભણ્યા હોવા છતાંય નોકરી નથી મળતી.. અને જો નોકરી મળે છે તે સામાન્ય રીતે ઓછા પગારમાં મળે છે.. આજે વાત હરિયાણાની કરવી છે. થોડા સમય પહેલા ગુજરાતથી સમાચાર સામે આવ્યા હતા કે નોકરી માટે પડાપડી થઈ ત્યારે આવી જ ઘટના હરિયાણાથી સામે આવી છે. હરિયાણા સ્કીલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશનના આંકડાઓ અનુસાર 46 હજારથી વધુ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ સફાઈ કામદારની નોકરી માટે અરજી કરી હતી.   



આટલા લોકોએ પોસ્ટ માટે કર્યું અપલાય 

આપણે કહીએ છીએ કે બેરોજગારી વધી રહી છે.. અનેક યુવાનો એવા છે જેમની પાસે ભણતર છે પરંતુ નોકરી નથી. અનેક લોકો એવા હોય છે જે ઓછા પગારમાં પણ કામ કરવા તૈયાર હોય છે. તેમને પગાર નહીં માત્ર કામ જોઈએ છે... બેરોજગારી એક મોટી સમસ્યા છે તેનું ઉદાહરણ હરિયાણાથી સામે આવ્યું છે.. હરિયાણા સ્કીલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશનના આંકડાઓ અનુસાર 46 હજારથી વધુ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ સફાઈ કામદારની નોકરી માટે અરજી કરી હતી. 6 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન લગભગ 39990 ગ્રેજ્યુએટ અને 6112થી વધુ પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારોએ સફાઈ કામદાર તરીકેની નોકરી મેળવા માટે અરજી કરી હતી. તે ઉપરાંત 12મું ધોરણ પાસ 1,17,144 લોકોએ આ પદ માટે અરજી કરી હતી. 



બેરોજગારી આ હદે વધી!

મીડિયા સાથે વાતચીત દરમિયાન એક અધિકારીએ જણાવ્યું હતું કે, એચકેઆરએન પુલના માધ્યમથી સરકારી વિભાગ, બોર્ડ અને નિગમોમાં નિમણૂક કરાયેલ કોર્પોરેશન સફાઈ કર્મચારીને રૂ. 15 હજાર પ્રતિ માસનો પગાર ચૂકવવામાં આવશે. મહત્વનું છે કે અનેક ભણેલા લોકોએ આ પોસ્ટ માટે અપલાય કર્યું છે.. જે કંપનીમાં ઓછો પગાર મળતો હશે એનાથી અહીંયા વધારે મળે છે એમ માનીને અપલાય કર્યું હોઈ શકે છે. તે સિવાય એવા પણ માણસો હોઈ શકે છે જેમની પાસે નોકરી નથી અને ઘરે બેઠા છે તેમણે પણ અપલાય કર્યું હોઈ શકે છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે