Haryana - 45,000 થી વધુ સ્નાતકો અને અનુસ્નાતકોએ સફાઈ કામદારની નોકરી માટે અરજી કરી! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-04 14:42:27

એક સમય હતો જ્યારે એવું માનવામાં આવતું કે ભણ્યા બાદ નોકરી મળી જશે.. લોકો ભણતા હતા અને નોકરી મેળવતા હતા.. પરંતુ દિવસેને દિવસે રોજગારી ઘટી રહી છે અને બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે. ભણ્યા હોવા છતાંય નોકરી નથી મળતી.. અને જો નોકરી મળે છે તે સામાન્ય રીતે ઓછા પગારમાં મળે છે.. આજે વાત હરિયાણાની કરવી છે. થોડા સમય પહેલા ગુજરાતથી સમાચાર સામે આવ્યા હતા કે નોકરી માટે પડાપડી થઈ ત્યારે આવી જ ઘટના હરિયાણાથી સામે આવી છે. હરિયાણા સ્કીલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશનના આંકડાઓ અનુસાર 46 હજારથી વધુ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ સફાઈ કામદારની નોકરી માટે અરજી કરી હતી.   



આટલા લોકોએ પોસ્ટ માટે કર્યું અપલાય 

આપણે કહીએ છીએ કે બેરોજગારી વધી રહી છે.. અનેક યુવાનો એવા છે જેમની પાસે ભણતર છે પરંતુ નોકરી નથી. અનેક લોકો એવા હોય છે જે ઓછા પગારમાં પણ કામ કરવા તૈયાર હોય છે. તેમને પગાર નહીં માત્ર કામ જોઈએ છે... બેરોજગારી એક મોટી સમસ્યા છે તેનું ઉદાહરણ હરિયાણાથી સામે આવ્યું છે.. હરિયાણા સ્કીલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશનના આંકડાઓ અનુસાર 46 હજારથી વધુ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ સફાઈ કામદારની નોકરી માટે અરજી કરી હતી. 6 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન લગભગ 39990 ગ્રેજ્યુએટ અને 6112થી વધુ પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારોએ સફાઈ કામદાર તરીકેની નોકરી મેળવા માટે અરજી કરી હતી. તે ઉપરાંત 12મું ધોરણ પાસ 1,17,144 લોકોએ આ પદ માટે અરજી કરી હતી. 



બેરોજગારી આ હદે વધી!

મીડિયા સાથે વાતચીત દરમિયાન એક અધિકારીએ જણાવ્યું હતું કે, એચકેઆરએન પુલના માધ્યમથી સરકારી વિભાગ, બોર્ડ અને નિગમોમાં નિમણૂક કરાયેલ કોર્પોરેશન સફાઈ કર્મચારીને રૂ. 15 હજાર પ્રતિ માસનો પગાર ચૂકવવામાં આવશે. મહત્વનું છે કે અનેક ભણેલા લોકોએ આ પોસ્ટ માટે અપલાય કર્યું છે.. જે કંપનીમાં ઓછો પગાર મળતો હશે એનાથી અહીંયા વધારે મળે છે એમ માનીને અપલાય કર્યું હોઈ શકે છે. તે સિવાય એવા પણ માણસો હોઈ શકે છે જેમની પાસે નોકરી નથી અને ઘરે બેઠા છે તેમણે પણ અપલાય કર્યું હોઈ શકે છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.   



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.