રામ રહીમ પર હરિયાણા સરકાર મહેરબાન, 21 દિવસના ફર્લો મંજુર, વર્ષમાં ત્રીજી વખત જેલની બહાર આવ્યા


  • Published By :
  • Published Date : 2023-11-21 16:32:05

બળાત્કાર અને હત્યાના કેસમાં હરિયાણાની રોહતક જેલમાં સજા કાપી રહેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરૂમિત રામ રહીમ ફરી એક વખત જેલમાંથી બહાર આવી ગયા છે. એક દિવસ પહેલા જ હરિયાણા સરકારે તેમનો 21 દિવસનો ફર્લો મંજુર કર્યો છે. આ સાથે જ રામ રહીમ એક જ વર્ષમાં ત્રીજી વખત જેલની બહાર આવી ગયો છે. સોમવાર સાંજે હરિયાણા સરકારે રામ રહીમની ફર્લોની અરજી મંજુર કરી કે તરત જ જેલના મુખ્ય ચોક પર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી.


અત્યાર સુધીમાં 7 વખત બહાર આવ્યા


બાબા રામ રહીમ પર હરિયાણા સરકાર કાંઈક વધુ પડતી મહેરબાન થઈ ગઈ છે. ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ હરિયાણામાં અને ઉત્તર પ્રદેશમાં વિશાળ અનુયાયીઓ ધરાવે છે. આ જ કારણ છે કે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 7 વખત તેમના ફર્લો મંજુર કર્યા છે. વર્ષ 2017માં કોર્ટે સજા સંભળાવ્યા બાદ અત્યાર સુધીમાં રામ રહીમ 7 વખત જેલની બહાર આવી ચુક્યા છે. ફર્લો મંજુર થયા બાદ રામ રહીમ ઉત્તર પ્રદેશના બાગપતના આશ્રમમાં રહેશે. તેઓ આ વર્ષે છેલ્લે જુલાઈ મહિનામાં ફર્લો પર છુટ્યા હતા. ઉલ્લેખનિય છે કે રામ રહીમ તેમની બે શિષ્યા પર બળાત્કારના આરોપમાં 20 વર્ષ અને હત્યાના કેસમાં રોહતક જેલમાં ઉંમરકેદની સજા કાપી રહ્યા છે.


ફર્લો શું હોય છે?


જે કેદીઓ સજા કાપી રહ્યા હોય તેમને માટે ફર્લો એક પ્રકારની રજા હોય છે. લાંબી સજા કાપતા કેદીઓને ફર્લો પર રજા મળે છે. તેનો હેતું કેદી તેમના પરિવારજનો અને સમાજના લોકોને મળી શકે તે માટે ફર્લો હોય છે. ફર્લો રાજ્ય સરકારનો વિષય છે, તેથી દરેક રાજ્યમાં ફર્લોને લઈ અલગ-અલગ નિયમ હોય છે, જો કે ઉત્તર પ્રદેશમાં ફર્લો અંગે કોઈ જોગવાઈ નથી. 



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.