હવે હરિયાણામાં જુની પેન્શન સ્કીમની માગ ઉઠી, કર્મચારીઓએ શરૂ કર્યું ઉગ્ર આંદોલન


  • Published By :
  • Published Date : 2023-02-22 20:12:57

દેશના વિવિધ રાજ્યોમાં સરકારી કર્મચારીઓ જુની પેન્શન સ્કિમ (OPS)ની માગ કરી રહ્યા છે. જો કે કેટલાક રાજ્યોમાં તો કર્મચારીઓ તેમની માગને લઈ આક્રમક બન્યા છે. જેમ કે હરિયાણામાં સરકારી કર્મચારીઓ તેમની માગને લઈ ઉગ્ર આંદોલન કરી રહ્યા છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી સીએમ મનોહરલાલ ખટ્ટરની સરકારે નરમ વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકારે કર્મચારીઓની માગને લઈ 3 સભ્યોની એક સમિતીની રચનાની જાહેરાત કરી છે.


સરકારનો કર્મચારીઓને ચર્ચા માટે પ્રસ્તાવ


હરિયાણાની મનોહર લાલ ખટ્ટરની સરકારે કર્મચારીઓને આંદોલન છોડી ચર્ચા માટે આમંત્રણ આપ્યું છે. સરકારે કહ્યું છે કે તે જુની પેન્સન અને નવી પેન્સન યોજના વચ્ચેનો કોઈ વચલો માર્ગ શોધવા માટે આતુર છે. જો કે કર્મતારીઓએ આકરૂ વલણ અપનાવ્યું છે. તેઓ હિમાચલ પ્રદેશની તર્જ પર જુની પેન્શન સ્કિમ ફરીથી લાગું કરવાની માગ પર અડગ છે. 


કર્મચારી સંગઠનોએ શું કહ્યું?


જુની પેન્શન સ્કીમ અંગે કર્મચારીઓનું કહેવું છે કે તેનાથી કર્મચારીઓનું ભવિષ્ય સુરક્ષિત રહેશે. કર્મચારીઓને નવી પેન્શન સ્કીમથી ખુબ નુકસાન થઈ રહ્યું છે. નવી પેન્શન સ્કિમ શેર બજાર પર આધારીત છે, કર્મચારીઓનું પેન્સન શેર બજારના ઉતાર-ચઢાવ પર આધાર રાખે છે.


આ રાજ્યોએ OPS લાગુ કરી


દેશના પાંચ રાજ્યો એવા છે જ્યાં કર્મચારીઓની માગ પર જુની પેન્શન સ્કિમ ફરી અમલી બનાવી છે. આ રાજ્યોમાં મુખ્યત્વે કોંગ્રેસની સરકારો છે. OPS ફરીથી અમલી બનાવનારા રાજ્યોમાં રાજસ્થાન, છત્તીશગઢ, હિમાચલ પ્રદેશ અને આમ આદમી પાર્ટી શાસિત પંજાબનો સમાવેશ થાય છે.




દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.