Haryana : વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલ બસ પલટી, સર્જાઈ દુર્ઘટના, રસ્તા પર ગુંજી ચિચિયારીઓ... એવી દુર્ઘટના જે વાંચી કંપારી છૂટી જશે..!


  • Published By :
  • Published Date : 2024-04-11 15:33:59

જાહેર રજા હોય અને તમારા બાળકની સ્કૂલ ચાલુ હોય, લેવા સ્કૂલ બસ આવે... બાળક સ્કૂલ જવા માટે બસમાં પણ બેસે પણ તે બસની સાથે દુર્ઘટના સર્જાય અને બાળક મોતને ભેટે તો? આ દ્રશ્યની કલ્પના માત્રથી જ કંપારી છૂટી જાય.. પરંતુ આવી દુર્ઘટના હરિયાણામાં બની છે જ્યાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ પલટી ગઈ અને 5 જેટલા માસુમ બાળકોના મોત થઈ ગયા જ્યારે અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સારવાર અર્થે વિદ્યાર્થીઓને ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર ઓવરટેક કરતી વખતે બસ પરથી ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને આ દુર્ઘટના સર્જાઈ. 

35 વિદ્યાર્થીઓથી ભરેલી બસ પલટી અને સર્જાઈ દુર્ઘટના 

એક તરફ દેશમાં ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે તો બીજી તરફ હરિયાણામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં માસુમ બાળકોના જીવ જતા રહ્યા છે. હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં એક દુ:ખદ ઘટના સર્જાઈ છે, જ્યાં બાળકોથી ભરેલી સ્કૂલ બસ પલટી ગઈ છે. સરકારી રજા હોવા છતાંય સ્કૂલને ખોલવામાં આવી ક્લાસ શરૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓને લેવા માટે બસ આવે છે, વિદ્યાર્થીઓ બસમાં સવાર થાય છે અને તેમને તેમની મોત બોલાવતી હોય તેવી રીતે દુર્ઘટના સર્જાય છે.... મળતી માહિતી અનુસાર ખાનગી શાળા જીએલ પબ્લિક સ્કૂલની બસમાં 35 જેટલા બાળકો મુસાફરી કરી રહ્યા હતા. આ અકસ્માતમાં અંદાજીત 5 જેટલા બાળકોના મોત થયા છે જ્યારે અનેક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર બસ ડ્રાઈવર દારૂના નશામાં હતો.

બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું અનુમાન

જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે ત્યાં કેવા દ્રશ્યો હશે, કેવી ચિચયારિયો ગુંજી હશે તે વિચારીઓ તો પણ ડરી જવાય. બાળકોને બચાવવા માટે સ્થાનિક લોકો આગળ આવ્યા, વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડાયા. ઈજાગ્રસ્ત બાળકોની સારવાર ચાલી રહી છે પરંતુ અનેક બાળકો એવા છે જેમને કાળ ભરખી ગયો છે. એવી માહિતી સામે આવી છે કે બસનો ડ્રાઈવર નશામાં હતો અને બસ પણ ફૂલ સ્પીડમાં હતી. એવી પણ માહિતી સામે આવી છે કે બસની સ્પીડ 120ની આસપાસની હતી જેને કારણે બસ પરનો કાબુ જતો રહ્યો અને આ દુર્ઘટના સર્જાઈ. મળતી માહિતી અનુસાર બસ ડ્રાઈવર હાલ પોલીસ હિરાસતમાં છે. આ ઘટનાને લઈ રાષ્ટ્રપતિ દ્વારા પણ શોક પ્રગટ કરવામાં આવ્યો છે.

 



શિક્ષણ મંત્રીએ લીધી હોસ્પિટલની મુલાકાત 

મહત્વનું છે કે આ ઘટના બાદ શિક્ષણ મંત્રી દ્વારા હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી. રજા હોવા છતાંય શાળા કેમ ખુલ્લી હતી તે અંગેની તપાસ કરવામાં આવશે તેની વાત તેમના દ્વારા કરવામાં આવી. સ્કૂલને નોટિસ પણ ફટકારવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે...  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!