Haryana : વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલ બસ પલટી, સર્જાઈ દુર્ઘટના, રસ્તા પર ગુંજી ચિચિયારીઓ... એવી દુર્ઘટના જે વાંચી કંપારી છૂટી જશે..!


  • Published By :
  • Published Date : 2024-04-11 15:33:59

જાહેર રજા હોય અને તમારા બાળકની સ્કૂલ ચાલુ હોય, લેવા સ્કૂલ બસ આવે... બાળક સ્કૂલ જવા માટે બસમાં પણ બેસે પણ તે બસની સાથે દુર્ઘટના સર્જાય અને બાળક મોતને ભેટે તો? આ દ્રશ્યની કલ્પના માત્રથી જ કંપારી છૂટી જાય.. પરંતુ આવી દુર્ઘટના હરિયાણામાં બની છે જ્યાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ પલટી ગઈ અને 5 જેટલા માસુમ બાળકોના મોત થઈ ગયા જ્યારે અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સારવાર અર્થે વિદ્યાર્થીઓને ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર ઓવરટેક કરતી વખતે બસ પરથી ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને આ દુર્ઘટના સર્જાઈ. 

35 વિદ્યાર્થીઓથી ભરેલી બસ પલટી અને સર્જાઈ દુર્ઘટના 

એક તરફ દેશમાં ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે તો બીજી તરફ હરિયાણામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં માસુમ બાળકોના જીવ જતા રહ્યા છે. હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં એક દુ:ખદ ઘટના સર્જાઈ છે, જ્યાં બાળકોથી ભરેલી સ્કૂલ બસ પલટી ગઈ છે. સરકારી રજા હોવા છતાંય સ્કૂલને ખોલવામાં આવી ક્લાસ શરૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓને લેવા માટે બસ આવે છે, વિદ્યાર્થીઓ બસમાં સવાર થાય છે અને તેમને તેમની મોત બોલાવતી હોય તેવી રીતે દુર્ઘટના સર્જાય છે.... મળતી માહિતી અનુસાર ખાનગી શાળા જીએલ પબ્લિક સ્કૂલની બસમાં 35 જેટલા બાળકો મુસાફરી કરી રહ્યા હતા. આ અકસ્માતમાં અંદાજીત 5 જેટલા બાળકોના મોત થયા છે જ્યારે અનેક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર બસ ડ્રાઈવર દારૂના નશામાં હતો.

બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું અનુમાન

જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે ત્યાં કેવા દ્રશ્યો હશે, કેવી ચિચયારિયો ગુંજી હશે તે વિચારીઓ તો પણ ડરી જવાય. બાળકોને બચાવવા માટે સ્થાનિક લોકો આગળ આવ્યા, વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડાયા. ઈજાગ્રસ્ત બાળકોની સારવાર ચાલી રહી છે પરંતુ અનેક બાળકો એવા છે જેમને કાળ ભરખી ગયો છે. એવી માહિતી સામે આવી છે કે બસનો ડ્રાઈવર નશામાં હતો અને બસ પણ ફૂલ સ્પીડમાં હતી. એવી પણ માહિતી સામે આવી છે કે બસની સ્પીડ 120ની આસપાસની હતી જેને કારણે બસ પરનો કાબુ જતો રહ્યો અને આ દુર્ઘટના સર્જાઈ. મળતી માહિતી અનુસાર બસ ડ્રાઈવર હાલ પોલીસ હિરાસતમાં છે. આ ઘટનાને લઈ રાષ્ટ્રપતિ દ્વારા પણ શોક પ્રગટ કરવામાં આવ્યો છે.

 



શિક્ષણ મંત્રીએ લીધી હોસ્પિટલની મુલાકાત 

મહત્વનું છે કે આ ઘટના બાદ શિક્ષણ મંત્રી દ્વારા હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી. રજા હોવા છતાંય શાળા કેમ ખુલ્લી હતી તે અંગેની તપાસ કરવામાં આવશે તેની વાત તેમના દ્વારા કરવામાં આવી. સ્કૂલને નોટિસ પણ ફટકારવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે...  



રાજ્યમાં વારંવાર થતાં હિટ એન્ડ રનના કેસો ચિંતાનો વિષય છે. આ અકસ્માતોનું મુખ્ય કારણ ડ્રિંક એન્ડ ડ્રાઇવ હોવાનું સામે આવ્યું છે ત્યારે આવા અકસ્માત સર્જનાર નબીરાઓ સાધારણ માણસને માણસ સમજતા જ નથી. પૈસાના જોરે નશા ના રવાડે ચઢેલા નબીરાઓની લાપરવાહીમાં લોકો પોતના જીવ ગુમાવે છે. શું પોલીસ મુકપ્રક્ષક બની રહી છે?

હવે સરકારી દરેક શાળામાં વિધાર્થીઓ ધોરણ 8 ને બદલે 10 સુધી ભણી શકશે. આગામી સ્તરથી ઝોન 7 માં 7 માધ્યમિક શાળાઓમાં ધો.9-10ના વર્ગ શરૂ થશે. AMCની સ્કૂલમાં માધ્યમિક શિક્ષણના 1 લાખ ૭૦ હજાર વિદ્યાર્થીને ફાયદો થશે. વિદ્યાર્થીઓને પુસ્તકોથી લઇને ગણવેશ સહિતની સુવિધાઓ વિનામુલ્યે મળી રહેશે.ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂ. ૬ લાખ કરવાનો નિર્ણય લેવાયો..

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર કે જેઓ ૯ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા હતા . તેમને પાછા લાવવા માટે ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સનું ડ્રેગન જહાજ પહોંચી ચૂક્યું છે . આજે સવારે સાડા દસ વાગે તેમની ધરતી પર પરત ફરવાની યાત્રા શરુ થઇ ચુકી છે . ભારતીય સમય પ્રમાણે બુધવારના વહેલી સવારના સાડા ત્રણ વાગે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરનું ડ્રેગન અવકાશયાન ગલ્ફ ઓફ મેક્સિકોમાં લેન્ડ કરશે .

પાકિસ્તાનની જેલમાં કુલ ૧૨૩ ગુજરાતી માછીમારો કેદ છે . આ સ્ફોટક માહિતી ત્યારે બહાર આવી જયારે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોને લઇને સવાલ પૂછ્યો હતો . આ પછી રાજ્યસ્તરના વિદેશમંત્રી કીર્તિવર્ધન સિંહે આ વિશે વિસ્તૃત માહિતી આપી હતી .