Haryana : મથુરા-વૃદાંવનથી આવતી બસ અચાનક આગની લપેટામાં આવી, દુર્ઘટનામાં થયા 9 જેટલા લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-18 12:12:38

અનેક વખત આપણે એવા કિસ્સા સાંભળ્યા હશે કે ચાલતા વાહનમાં અચાનક આગ લાગી જાય છે અને તે દુર્ઘટનાનો શિકાર થઈ જાય છે.. ત્યારે એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે..  નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.   

બસમાં એકાએક લાગી આગ અને સર્જાઈ દુર્ઘટના 

મળતી માહિતી અનુસાર શુક્રવારે બસ ભાડે કરી દર્શનાર્થીઓ બનારસ અને મથુરા વૃંદાવન દર્શન કરવા માટે ગયા હતા.. આ બસમાં 60 જેટલા લોકો હતા જેમાં મહિલાઓનો અને બાળકોનો સમાવેશ થાય છે... તે લોકો દર્શન કરીને તે લોકો પરત ફરી રહ્યા હતા જે દરમિયાન બસ અચાનક આગની ઝપેટમાં આવી ગઈ.. મળતી માહિતી અનુસાર બસમાં બેઠેલા લોકોને બસમાં આગ લાગી છે તેની જાણ ના હતી.. ડ્રાઈવર પણ બસને ચલાવી રહ્યા હતા... સ્થાનિકો દ્વારા બસમાં આગ લાગી છે તેવી માહિતી આપવામાં આવી.. જ્યારે આગની જાણકારી ડ્રાાઈવરને મળી તે બાદ બસ ઉભી રહી પરંતુ ત્યાં સુધી બસમાં બહુ બધી આગ ફેલાઈ ચૂકી હતી તેવી માહિતી સામે આવી છે..

9 જેટલા લોકોના મોત થયા હોવાના સમાચાર 

આગને કાબુમાં લેવા માટે સ્થાનિક લોકોએ પ્રયત્ન કર્યો. પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી, ફાયર વિભાગની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી.. લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું હતું, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.. આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. બીજા લોકોની સારવાર ચાલી રહી છે.   




હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.