હરિયાણાના યમુનાનગરમાં ઝેરી દારૂ પીવાથી વધુ 5 લોકોના મોત, મત્યુઆંક 14 થયો


  • Published By :
  • Published Date : 2023-11-11 11:24:58

હરિયાણાના યમુનાનગર જિલ્લાના મંડેબરી અને અંજેટાના માજરા ગામમાં ઝેરી દારૂ પીવાથી મોતની વધુ 5 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, આ લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 14 થઈ ગયો છે. પોલીસનું કહેવું છે કે આ કેસમાં આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 


આપે કર્યા આકરા પ્રહાર 


આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ ડો. સુશીલ ગુપ્તાએ શુક્રવારે નિવેદન આપી હરિયાણામાં લઠ્ઠાકાંડને લઈને ખટ્ટર સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે હરિયાણામાં ગેરકાયદે ઝેરીલા દારૂનું વેચાણ થઈ રહ્યું છે. રાજ્યના તમામ શહેરો અને ગામમાં આવી ઝેરીલા દારૂના વેચાણ વધી રહ્યું છે. રાજ્યની ભાજપ સરકાર આ મામલે તદ્દન ચૂપ છે, અને કોઈ કાર્યવાહી કરી રહી નથી જેના કારણે નકલી દારૂના વેચાણ તરતા તત્વોને પ્રોત્સાહન મળી રહ્યું છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.