હરિયાણાના યમુનાનગરમાં ઝેરી દારૂ પીવાથી વધુ 5 લોકોના મોત, મત્યુઆંક 14 થયો


  • Published By :
  • Published Date : 2023-11-11 11:24:58

હરિયાણાના યમુનાનગર જિલ્લાના મંડેબરી અને અંજેટાના માજરા ગામમાં ઝેરી દારૂ પીવાથી મોતની વધુ 5 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, આ લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 14 થઈ ગયો છે. પોલીસનું કહેવું છે કે આ કેસમાં આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 


આપે કર્યા આકરા પ્રહાર 


આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ ડો. સુશીલ ગુપ્તાએ શુક્રવારે નિવેદન આપી હરિયાણામાં લઠ્ઠાકાંડને લઈને ખટ્ટર સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે હરિયાણામાં ગેરકાયદે ઝેરીલા દારૂનું વેચાણ થઈ રહ્યું છે. રાજ્યના તમામ શહેરો અને ગામમાં આવી ઝેરીલા દારૂના વેચાણ વધી રહ્યું છે. રાજ્યની ભાજપ સરકાર આ મામલે તદ્દન ચૂપ છે, અને કોઈ કાર્યવાહી કરી રહી નથી જેના કારણે નકલી દારૂના વેચાણ તરતા તત્વોને પ્રોત્સાહન મળી રહ્યું છે.




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.