પક્ષ પલટો કરનાર નેતાઓમાં હર્ષદ રિબડીયાનો પણ સમાવેશ, કોંગ્રેસ છોડનાર નેતા આવતી કાલે થશે ભાજપમાં સામેલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 17:52:45

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓ પોતાના ફાયદા માટે પલટો કરી રહ્યા છે. ચૂંટણી નજીક આવતાની સાથે કોંગ્રેસમાંથી અનેક નેતાઓ રાજીનામા આપી રહ્યા છે. કોંગ્રેસને અલવિદા કહનાર મુખ્યત્વે નેતાઓ ભાજપ અથવા તો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર હર્ષદ રિબડીયા, આવતી કાલે કેસરિયો ધારણ કરવાના છે. 

દિલ્હીમાં ડખાં થતા ગુજરાત કોંગ્રેસ ધણીધોરી વિનાની, કોંગી MLA હર્ષદ રીબડિયાએ  પંજાનો કીધું અલવિદા - GSTV


કમલમ ખાતે યોજાઈ શકે છે સ્વાગત સમારોહ

વિસાવદરથી કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ પોતાનું રાજીનામુ વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યને સોંપી દીધું હતું. તેમણે રાજીનામુ આપતા કોંગ્રેસમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસનો છેડો ફાળતા જ કોંગ્રેસ પ્રત્યે તેમની ભાવના બદલાઈ ગઈ છે. જે પાર્ટી તેમને શ્રેષ્ઠ લાગતી હતી એ પાર્ટી રાજીનામુ આપ્યા બાદ ખરાબ લાગવા લાગી છે. પાર્ટી છોડતા જ તેમણે કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કર્યા હતા. ત્યારે હવે પક્ષ પલટો કરનાર હર્ષદ રિબડીયા સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપનો ખેસ ધારણ કરી શકે છે.       



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.